Home> Spiritual
Advertisement
Prev
Next

Astro Tips: જાણો કયા ઝાડની પૂજા કરવાથી કઈ મનોકામના થાય છે પુરી ?

Astro Tips: હિન્દુ ધર્મમાં ઝાડને ઈશ્વર સમાન પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. માન્યતા અનુસાર દરેક ઝાડમાં ભગવાનનો વાસ હોય છે. અલગ અલગ પ્રકારના ઝાડ અલગ અલગ દેવી-દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની પૂજા કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે. 

Astro Tips: જાણો કયા ઝાડની પૂજા કરવાથી કઈ મનોકામના થાય છે પુરી ?

Astro Tips: હિન્દુ ધર્મમાં ઝાડને ઈશ્વર સમાન પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. માન્યતા અનુસાર દરેક ઝાડમાં ભગવાનનો વાસ હોય છે. અલગ અલગ પ્રકારના ઝાડ અલગ અલગ દેવી-દેવતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની પૂજા કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે. કેટલાક ઝાડ તો એવા છે જેના પાનથી લઈને બી સુધીની વસ્તુઓ ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં આવે છે. ઝાડ કોઈપણ વ્યક્તિના સુખ સૌભાગ્યને પણ વધારી શકે છે. આજે તમને જણાવીએ હિંદુ માન્યતા અનુસાર કયા ઝાડની પૂજા કરવાથી કેવું ફળ મળે છે.

આ પણ વાંચો:

Kesar ke Totke: ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો ગુરુવારે કરો કેસરના આ અચૂક ઉપાય

24 જૂને સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે બુધ, 14 દિવસ 5 રાશિઓના ઘરમાં થશે ધનના ઢગલા

શુક્ર-ચંદ્રની યુતિથી સર્જાયો કલાત્મક યોગ, આ રાશિના લોકોનું વધશે બેંક બેલેન્સ

આમળાના ઝાડની પૂજા

આમળાનું ઝાડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે માતા લક્ષ્મીના અશ્રુથી આ ઝાડની ઉત્પત્તિ થઈ છે. આ ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે તેની પૂજા કરવાથી શ્રી હરિ ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આમળાના ઝાડની પૂજા કરે છે તે આ જીવનમાં તમામ સુખ ભોગવી અને મોક્ષ પ્રાપ્ત કરે છે.

કેળાના ઝાડની પૂજા

કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જે લોકોને બૃહસ્પતિ સંબંધિત સમસ્યા હોય તેમણે પણ કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. કેળાના ઝાડની પૂજા કરવાથી જીવનમાં સુખ સૌભાગ્યની ખામી રહેતી નથી.

આંબાનું ઝાડ

આંબાનું ઝાડ સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક કાર્યોમાં આ ઝાડના પાન તેના લાકડા તેના ફૂલ બધી જ વસ્તુઓનો ઉપયોગ થાય છે. જ્યારે પણ ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ બાંધવામાં આવે છે. 

તુલસીની પૂજા

તુલસી નો છોડ દરેક ઘરમાં જોવા મળે છે તુલસીની પૂજા કરવાથી જીવનના દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

શમીના ઝાડની પૂજા

સમીના ઝાડ નું પણ ધાર્મિક મહત્વ છે. જે વ્યક્તિ શમીના ઝાડની પૂજા કરે છે તેની સામે શનિદેવ વક્ર દ્રષ્ટિથી જોતા નથી. એટલે કે તે વ્યક્તિને શનિદોષનો સામનો કરવો પડતો નથી. શમીના ઝાડની પૂજા કરવાથી ભગવાન શિવ અને શનિ બંને પ્રસન્ન થાય છે અને શનિદોષથી મુક્તિ મળે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More