Home> Spiritual
Advertisement
Prev
Next

Chaitra Navratri 2023: જાણો ક્યારથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ, ઘટસ્થાપન અને પૂજાવિધિ માટે શુભ મુહૂર્ત પણ જાણી લો

હિંદુ ધર્મમાં વર્ષમાં 4 વાર નવરાત્રિની ઉજવાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી થશે શરૂ. ચૈત્ર મહિનામાં પ્રતિપદા તિથિએ ઘટસ્થાપન થશે.નવરાત્રિમાં મા દુર્ગાની 9 સ્વરૂપોની વિધિ- વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો આ ઉત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે. 
 

Chaitra Navratri 2023: જાણો ક્યારથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ, ઘટસ્થાપન અને પૂજાવિધિ માટે શુભ મુહૂર્ત પણ જાણી લો

હિંદુ ધર્મમાં વર્ષમાં 4 વાર નવરાત્રિની ઉજવાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 22 માર્ચથી થશે શરૂ. ચૈત્ર મહિનામાં પ્રતિપદા તિથિએ ઘટસ્થાપન થશે.નવરાત્રિમાં મા દુર્ગાની 9 સ્વરૂપોની વિધિ- વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો આ ઉત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે. 

ભારતમાં ઉજવવામાં આતતી 4 નવરાત્રિમાંથી 2 વિશેષ હોય છે. અને અન્ય 2 ગુપ્ત રીતે ઉજવવાય છે. પ્રત્યક્ષ નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે ગુપ્ત નવરાત્રિમાં માતા ભગવતીની પૂજા ગુપ્ત રીતે કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનો શુભ સમય હિંદુ ધર્મમાં નવા વર્ષની શરૂઆત નવરાત્રિની પ્રતિપદા તિથિથી થાય છે. હિંદુ પંચાગના અનુસાર આ વખતે ચૈત્ર પ્રતિપદા તિથિ 21 માર્ચ રાત્રે 10 વાગે અને 52 મિનિટે શરૂ થશે. તેના આગલા દિવસ 22 માર્ચે 2023 ની રાત્રે 8 વાગે અને  20 મિનિટે પૂર્ણ થશે. ચૈત્ર નવરાત્રિ 22 માર્ચ સવારે 6.29થી 7.39 સુધી રહેશે. 
 
ચૈત્ર નવરાત્રિમાં વ્રત-પૂજા વિધિ
ચૈત્ર નવરાત્રિમાં વ્રત રાખવું એ ખૂબ જ ફાયદાકારક છે. એનુ માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં માતા ભગવતી કરે છે પૃથ્વી પર વાસ. એટલા માટે ભક્તોએ માતા રાનીને પ્રસન્ન્ કરવા માટે સંપૂર્ણ ભક્તિ અને ભક્તિ સાથે માતાની પૂજા કરવી જોઈએ. નવરાત્રિના દિવસોમાં ધરતી પર માતાનો વાસ હોય છે. તેથી ભક્તોએ વિધિ- વિધાન પ્રમાણે માતાની કરવી જોઈએ પૂજા અને પ્રાર્થના. નવરાત્રિનું વ્રત રાખનારા ભક્તોએ પ્રતિપદાના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને ઉપવાસનું વ્રત લેવું જોઈએ. ઉપવાસ દરમિયાન માત્ર ફળો જ ખાવા જોઈએ અથવા તમે એક વખત ભોજન કર્યા પછી પણ આ ઉપવાસ રાખી શકો છો.  

સાપ્તાહિક રાશિફળ: આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે ગ્રહ ગોચર કરાવશે 'છપ્પરફાડ' લાભ

લગ્ન પછી પહેલી હોળી શા માટે ન ઉજવાય સાસરે? ખૂબ ઓછા લોકો જાણે છે સાચું કારણ

કારર્કિદીમાં સફળતા મળશે અપાર, ઓફિસમાં કામ કરતાં અજમાવો આ ટોટકા

ઘટસ્થાપના વિધિ
નવરાત્રિના પ્રથમ દિવસે  ઘટસ્થાપન કરવામાં આવે છે અને માતાનું આહ્વાન કરવામાં આવે છે. આ માટે માટીના વાસણમાં માટી રાખીને જવ વાવવામાં આવે છે. ત્યારબાદ પછી તાંબાના વાસણમાં ગંગાનું પાણી ભરો એટલે કે કલશ અને તેમાં  હળદર, કુમકુમ, અક્ષત, જવ, સિક્કા, કેરીના પાન અથવા 5 અશોકના પાન અને ડૂબ નાખો. આ બધી સામગ્રીઓ રાખ્યા પછી, એક નારિયેળને લાલાના કપડામાં લપેટીને તેને કલવમાં બાંધી દો અને કુમકુમ અને હળદરથી કલશ પર સ્વસ્તિક બનાવો, પછી વાવેલા જવના માટીના વાસણની વચ્ચે કલશ મૂકો અને તેના પર નારિયેળ મૂકો. કલશ અથવા જો તમે ઈચ્છો તો માતા રાનીની મૂર્તિની સામે કલશ પણ રાખી શકો છો.

ઘટની સ્થાપના કર્યા પછી તમે માતા દુર્ગાની છબી અથવા મૂર્તિને ચોકી પર લાલ કપડું ફેલાવીને મૂકી પછી ચોખાની નવગ્રહ કરો અને નવમા દેવીનું આહ્વાન કરો. તે પછી ધૂપ, દીપ અને કુમકુમ અક્ષત વગેરેથી માતાની પૂજા કરો. અને પ્રસાદ તરીકે નૈવેધ અથવા ફળ અથવા મીઠાઈઓ ચઢાવો. તે પછી મા દુર્ગાના મંત્રોનો કરો જાપ. અંતમાં મા દુર્ગાનો પાઠ કરો અને આરતી પણ ગાઓ. 9 દિવસ સુધી આ રીતે 9 દેવીઓની પૂજા કરો. અને અષ્ટમી કે નવમીના દિવસે કન્યાઓને ભોજન કરાવો અને આપો ભેટ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More