Home> Spiritual
Advertisement
Prev
Next

Guru Gochar 2024: 12 વર્ષ પછી ગુરુ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, મેષ સહિત કઈ કઈ રાશિને થશે લાભ જાણો

Guru Gochar 2024: 12 વર્ષ પછી ગુરુ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરશે. ગુરુ ગ્રહના આ ગોચરથી ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વ્યક્તિને ભાગ્યનો સાથ, ધન, વૈવાહિક સુખ અને સમૃદ્ધિ આપે છે. ગુરુ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ ભાગ્યવાન, ધનવાન, જ્ઞાનવાન અને ઐશ્વર્યવાન બને છે.  ગુરુ ગ્રહ વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ આપે છે. 

Guru Gochar 2024: 12 વર્ષ પછી ગુરુ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, મેષ સહિત કઈ કઈ રાશિને થશે લાભ જાણો

Guru Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા જ ગ્રહનું પોતાનો મહત્વ હોય છે અને બધા જ ગ્રહ દરેક રાશિ પર અલગ અલગ રીતે પ્રભાવ પાડે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ બદલે છે તો તેની અસર 12 રાશિના લોકોના જીવન પર પણ જોવા મળે છે. જોકે કેટલાક ગ્રહ એવા છે જેનો વિશેષ મહત્વ છે. જેમકે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ. બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ જ્યારે રાશિ પરિવર્તન કરે છે તો તેનું વિશેષ મહત્વ હોય છે. 

આ પણ વાંચો: સોનું પહેરવું કોના માટે શુભ, કોના માટે અશુભ, સમજ્યા વિના પહેર્યું તો જિંદગી થશે ખરાબ

આ ક્રમમાં 12 વર્ષ પછી ગુરુ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરશે. ગુરુ ગ્રહના આ ગોચરથી ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વ્યક્તિને ભાગ્યનો સાથ, ધન, વૈવાહિક સુખ અને સમૃદ્ધિ આપે છે. ગુરુ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ ભાગ્યવાન, ધનવાન, જ્ઞાનવાન અને ઐશ્વર્યવાન બને છે.  ગુરુ ગ્રહ વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ આપે છે. તેથી જ જ્યારે ગુરુનું રાશિ પરિવર્તન થાય છે તો વ્યક્તિના જીવનના આ પાસાઓને સૌથી વધારે અસર થાય છે. વર્ષ 2024 માં ગુરુ ગ્રહ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુનું રાશિ પરિવર્તન 1 મે 2024 ના રોજ થશે. 

આ પણ વાંચો: 7 બુધવારનું ગણપતિ દાદાનું વ્રત કરવાથી દરેક ઈચ્છા થાય છે પુરી, જાણો વ્રતની વિધિ

12 વર્ષ પછી 1 મે 2024 ના રોજ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરી વૃષભ રાશિમાં ગોચર કરશે. આવો યોગ ફરીથી 12 વર્ષ પછી બનશે. જ્યોતિષ શાસ્ત્રી ની દ્રષ્ટિએ ગુરુ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર કરવું મહત્વની ઘટના છે. ગુરુના ગોચરના કારણે દરેક રાશિને અસર થશે પરંતુ 4 રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન અત્યંત લાભ થશે. 

ગુરુના રાશિ પરિવર્તનથી આ 4 રાશિને થશે લાભ

આ પણ વાંચો: Holi Upay 2024: હોળીની રાત્રે કરી લો ચાર મુખી દીવાનો આ ઉપાય, જીવનની સમસ્યાઓ થશે દુર

મેષ રાશિ

1 મે 2024 થી મેષ રાશિના લોકો માટે શુભ સમય શરૂ થશે. વૃષભ રાશિમાં ગુરુનો પ્રવેશ મેષ રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ધન લાભના પણ અવસર મળશે. શુભ સમાચાર મળવાના યોગ છે. સંતાન સુખ મળશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિમાં ગુરુનો પ્રવેશ આ રાશિ માટે પણ લાભકારી જ રહેશે. આ રાશિના લોકોને શુભ ફળ મળશે. જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર આવશે. કારકિર્દીમાં ઇચ્છિત સફળતા મળશે. ધન લાભ થશે. આવક ના નવા સ્ત્રોત બનશે. કાર્ય સ્થળ પર માન સન્માન મળશે. 

આ પણ વાંચો: Shani Uday : કુંભ રાશિમાં શનિનો થયો ઉદય, સિંહ અને કન્યા સહિત 6 રાશિઓને મળશે શુભ ફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને પણ ગુરુ ગ્રહ લાભ કરાવશે. કાર્યોમાં સફળતા મળશે. અટકેલા કામ બાધા વિના પૂરા થશે. ભૌતિક સુખ વધશે. આવકમાં વધારો થવાથી આત્મવિશ્વાસ પણ વધશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. વૈવાહિક સુખ મળશે.

કન્યા રાશિ

ગુરુનું રાશિ પરિવર્તન કન્યા રાશિ માટે પણ સારું છે.. જીવનમાં સૌભાગ્ય વધશે. અધુરી ઈચ્છાઓ પૂરી થશે. આ સમય દરમિયાન વિદેશી યાત્રા ના પણ યોગ બની રહ્યા છે. દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. વેપાર અને નોકરીમાં સફળતા મળશે. આવક વધે તેવા પ્રબળ યોગ છે.

આ પણ વાંચો: આ છે દેશના પ્રખ્યાત ગણેશ મંદિર, દર્શન કરવા માત્રથી મનોકામના થઈ જાય પુરી, જુઓ Photos

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More