Home> Spiritual
Advertisement
Prev
Next

Varuthini Ekadashi 2024: વરુથિની એકાદશી પર સર્જાશે દુર્લભ ઇન્દ્ર યોગ, આ કામ કરવાથી મળશે અક્ષય ફળ

Varuthini Ekadashi 2024: પવિત્ર અને ચમત્કારી વરુથિની એકાદશી 3 મે 2024 ના રોજ ઉજવાશે. 3 મે અને શુક્રવારે દુર્લભ ઈન્દ્ર યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. 

Varuthini Ekadashi 2024: વરુથિની એકાદશી પર સર્જાશે દુર્લભ ઇન્દ્ર યોગ, આ કામ કરવાથી મળશે અક્ષય ફળ

Varuthini Ekadashi 2024: વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે. દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મનોકામના પૂર્તિ માટે આ દિવસે વ્રત પણ કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ એકાદશી કરે છે તેના જન્મો જન્મના પાપ દૂર થઈ જાય છે. 

આ પણ વાંચો: શનિની પનોતી ચાલતી હોય તેણે કરવા આ અચૂક ઉપાય, સમસ્યાઓથી મળશે રાહત

શાસ્ત્રોમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. આવી જ પવિત્ર અને ચમત્કારી વરુથિની એકાદશી 3 મે 2024 ના રોજ ઉજવાશે. 3 મે અને શુક્રવારે દુર્લભ ઈન્દ્ર યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. 

એકાદશીનું શુભ મુહૂર્ત 

આ પણ વાંચો:  ગુરુવારે કરેલા ગોળના આ ઉપાયથી કાર્યમાં નડતી બાધા દુર થશે, કરિયરમાં ઝડપથી મળશે સફળતા

વરુથિની એકાદશી 3 મે એ રાત્રે 11 કલાક અને 24 મિનિટથી શરૂ થશે 4 મે ના રોજ રાત્રે 8 કલાક અને 38 મિનિટે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર એકાદશી 3 મેના રોજ ઉજવાશે. 

આ પણ વાંચો: Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે વરુથિની એકાદશીના દિવસે સવારે 11 અને 4 મિનિટ સુધી દુર્લભ યોગ બની રહ્યો છે. આ સિવાય એકાદશીની તિથિના રોજ રાત્રે 10 કલાક અને 7 મિનિટ સુધી પૂર્વાભાદ્રપદ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત કરવાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More