Home> Spiritual
Advertisement
Prev
Next

Shani 2024: વર્ષ 2024 માં 3 રાશિઓ પર શનિદેવ થશે મહેરબાન, ચારેતરફથી રૂપિયાનો થશે વરસાદ

Shani 2024: વર્ષ 2024માં શનિ 30 જૂનથી 15 નવેમ્બર 2024 સુધી વક્રી રહેશે. આ સમય દરમિયાન કેટલીક રાશિના લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે આ સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. આ રાશિના લોકોના ભાગ્યના બંધ તાળા ખુલી જવાના છે.

Shani 2024: વર્ષ 2024 માં 3 રાશિઓ પર શનિદેવ થશે મહેરબાન, ચારેતરફથી રૂપિયાનો થશે વરસાદ
Updated: Dec 15, 2023, 07:36 PM IST

Shani 2024: ગ્રહોની ચાલની અસર તમામ રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. રાશિ બદલવાની સાથે ગ્રહોની ચાલ પણ બદલતી રહે છે. જેની અસર તમામ રાશિના લોકોના જીવન પર થાય છે. ગણતરીના દિવસોમાં નવું વર્ષ શરૂ થવાનું છે. વર્ષ 2024 માં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરશે અને કેટલાક ગ્રહો વક્રી થશે. જેની અસર દરેકના જીવનને થશે. 

વર્ષ 2024માં શનિ પણ પોતાની રાશિ બદલીને તમામ રાશિઓને પ્રભાવિત કરશે. વર્ષ 2024માં શનિ 30 જૂનથી 15 નવેમ્બર 2024 સુધી વક્રી રહેશે. આ સમય દરમિયાન કેટલીક રાશિના લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે આ સમય કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. આ રાશિના લોકોના ભાગ્યના બંધ તાળા ખુલી જવાના છે.

આ પણ વાંચો: સાત પેઢી બેઠા બેઠા ખાઈ શકે એટલું ધનવાન બનવું હોય તો શુક્રવારે ગુપ્ત રીતે કરો આ ઉપાય

મકર રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2024માં મકર રાશિ પર શનિદેવની ખાસ કૃપા થવાની છે. આ સમય દરમિયાન આ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવના છે. તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. શનિદેવના પ્રભાવથી પૈતૃક સંપત્તિમાં વધારો થઈ શકે છે. નોકરીયાત લોકો માટે પ્રગતિ અને વ્યાવસાયિક વિકાસ શક્ય છે. શનિદેવની કૃપાથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે.

આ પણ વાંચો: 24 કલાકમાં પલટી મારશે મેષ સહિત આ રાશિઓનું ભાગ્ય, ધન સંક્રાતિમાં કમાશો અઢળક રૂપિયો

મેષ રાશિ

આ રાશિના લોકો માટે પણ આવનારો સમય ઘણો લાભદાયક છે. આ લોકો માટે આ સમય આશીર્વાદ સમાન હશે. આ સમયગાળા દરમિયાન આવકના સ્ત્રોત વધશે. આ સમયગાળો આવકમાં વધારો કરાવશે. આ સમયે જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. રોકાણથી લાભ થઈ શકે છે. શનિદેવની કૃપાથી નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે. નોકરીમાં બદલી થવાની પણ સંભાવના છે.  

આ પણ વાંચો:  Shukrawar Upay: શુક્રવારે કરી લો બસ આ 5 કામ, માતા લક્ષ્મી તમારા પર રહેશે સદા પ્રસન્ન

સિંહ રાશિ 

નવા વર્ષમાં શનિદેવની કૃપા સિંહ રાશિના લોકો પર વિશેષ રહેશે.  શનિ આ રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે. આ ગોચરના કારણે સિંહ રાશિના લોકોની કુંડળીમાં સકારાત્મક શશ યોગ બની રહ્યો છે. આ સમય દરમિયાન નોકરી અને વેપારીમાં લાભ થવાની સંભાવના છે. આ સમયે વૈવાહિક જીવન સારું રહેશે. મિલકતમાં વધારો થવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. અપરિણીત લોકો માટે લગ્ન નક્કી થઈ શકે છે. 

આ પણ વાંચો: 30 વર્ષ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, વર્ષ 2024 માં નક્કી બનશો અમીર

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે