Home> Spiritual
Advertisement
Prev
Next

Vastu Tips: માટીમાંથી બનેલી આ 6 વસ્તુઓ ઘરમાં રાખશો તો પ્રસન્ન થશે મા લક્ષ્મી, ધનથી ઉભરાશે તિજોરી

 Lucky and auspicious things: એવું માનવામાં આવે છે કે માટીની બનેલી કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેની સાથે શુક્રના બળના કારણે ચંદ્ર અને શનિના દોષ પણ ઓછા થાય છે.

Vastu Tips: માટીમાંથી બનેલી આ 6 વસ્તુઓ ઘરમાં રાખશો તો પ્રસન્ન થશે મા લક્ષ્મી, ધનથી ઉભરાશે તિજોરી

Clay/ Mud Things Vastu: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીનું વિશેષ સ્થાન છે. આ જ શુક્ર ગ્રહને સૌંદર્ય, સંપત્તિ અને વેપારનો કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માટીની બનેલી કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેની સાથે શુક્રના બળના કારણે ચંદ્ર અને શનિના દોષ પણ ઓછા થાય છે.

માટીનો દિવો
એવું માનવામાં આવે છે કે સાંજે તુલસીના છોડ પાસે દીવો કરવો શુભ માનવામાં આવે છે. માટીના દીવાને પંચતત્વનું પ્રતિક માનવામાં આવે છે. આમ કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.

માટીની મૂર્તિ
એવું માનવામાં આવે છે કે ઘરમાં માટીની મૂર્તિની સ્થાપના કરવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. ઘરમાં માટીથી બનેલી ગણેશ-લક્ષ્મીની મૂર્તિ રાખો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.

માટીનો કળશ
શાસ્ત્રોમાં પૂજા સમયે માટીના કળશનો ઉપયોગ કરવો શુભ કહેવાય છે. કહેવાય છે કે માટીના વાસણમાં 1 રૂપિયાનો સિક્કો મૂકીને પૂજાઘરમાં રાખો. તેનાથી શુભતા વધે છે.

માટીનો ઘડો-
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમારે પાણીને ઠંડુ કરવા માટે માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. તેને પાણીથી ભરીને ઉત્તર દિશામાં રાખો. પાણીનો સંબંધ મા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. આમ કરવાથી તેની કૃપા તમારા પર બની રહે છે.

માટીના રમકડાં
ડ્રોઈંગ રૂમમાં માટીના રમકડા કે માટીની વસ્તુઓ રાખવાથી પૈસાનો પ્રવાહ વધે છે. ઉપરાંત, તે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

માટીના કુંડા
ઘરમાં વૃક્ષો અને છોડ હંમેશા માટી કે સિરામિક કુંડામાં લગાવવા જોઈએ. છોડ વાવવા માટે પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ ન કરો, તેનાથી નકારાત્મકતા વધી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More