Home> Spiritual
Advertisement
Prev
Next

Hanuman Chalisa Tips: એકદમ ચમત્કારી છે હનુમાન ચાલીસાના આ 4 દોહા, સંકટ આસપાસ ફરશે પણ નહી

Hanuman Chalisa Mantra: શાસ્ત્રોમાં મંગળવારે બજરંગબલીની પૂજા કરવાની રીત જણાવવામાં આવી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે મંગળવારના દિવસે હનુમાન ચાલીસાના કેટલાક દોહાના જાપ કરવાથી વ્યક્તિને શ્રેષ્ઠ ફળ મળે છે.

Hanuman Chalisa Tips: એકદમ ચમત્કારી છે હનુમાન ચાલીસાના આ 4 દોહા, સંકટ આસપાસ ફરશે પણ નહી

Mangalwar Ke Upay: મંગળવાર હનુમાનજીને સમર્પિત વાર છે. આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તો બજરંગબલીના આશીર્વાદ મેળવે છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પાપોનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજી કલિયુગના એવા દેવતા છે, જે પૃથ્વી પર બિરાજમાન છે અને સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોના દુ:ખ દૂર થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસામાં કેટલાક એવા દોહા છે, જેનો જાપ કરવાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં, વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.એવું માનવામાં આવે છે કે માત્ર આ દોહાના જાપ કરવાથી બજરંગબલી ભક્તોની રક્ષા કરે છે. જાણો હનુમાન ચાલીસાના બે શબ્દો અને તેના અર્થ વિશે.

આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 કોણ હતી પૃથ્વી પરની સૌ પ્રથમ દુલ્હન, કેવી રીતે શરૂ થઈ લગ્નની પરંપરા?

હનુમાન ચાલીસાના દોહા

बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन कुमार।
बल-बुद्धि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार।।

દોહાનો અર્થ- આ દોહામાં કહેવામાં આવ્યું છે કે હે બજરંગબલી, હું બુદ્ધિહીન છું. હું તમારી પૂજા કરું છું અને યાદ કરું છું. તમે મને શક્તિ, શાણપણ અને જ્ઞાન આપો. તેમજ મારી તકલીફો, દુ:ખો અને કષ્ટો દૂર કરો.

આ દોહા જાપ કરવાથી લાભઃ- એવું માનવામાં આવે છે કે આ દોહાનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જો તમે નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો આ દોહાનો જાપ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. અને તમને સફળતા મળશે. હનુમાનજીની મૂર્તિની સામે નિયમિત ઉભા રહીને તેનો જાપ કરવાથી લાભ થાય છે. જો નિયમિત રીતે શક્ય ન હોય તો મંગળવાર અને શનિવારે ઓછામાં ઓછા 108 વાર આ દોહાનો જાપ કરો.  તુલસીની માળા સાથે તેનો જાપ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावे।

દોહાનો અર્થ અને લાભઃ- આ દોહાનો અર્થ એ છે કે હે બજરંગબલી તમારું નામ યાદ કરવાથી ભૂત-પિશાચ ભાગી જાય છે. આટલું જ નહીં, દુષ્ટ શક્તિઓ પણ પ્રભાવિત નથી. એવું માનવામાં આવે છે કે આ દોહાનો નિયમિત જાપ કરવાથી નકારાત્મક ઉર્જા તમારી નજીક નથી આવતી. જો કોઈ વ્યક્તિને રાત્રે ડર લાગતો હોય તો સૂતાં પહેલા હનુમાન ચાલીસાના આ દોહાનો જાપ કરવો જોઈએ. જેના કારણે વ્યક્તિને સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો: Mahashivratri 2023: બજારમાંથી તાજા અને મીઠા શક્કરિયાં ખરીદવાની આ છે અદ્ભુત Tips
આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક
આ પણ વાંચો:
 ઉલટી ગંગા: સુરતમાં જમાઇની જાન લઇને સસરા પહોંચ્યા, જેઠ બન્યો કન્યાનો ભાઇ

नासे रोग हरे सब पीड़ा,
जपत निरंतर हनुमत वीरा!!

દોહાનો અર્થ અને લાભ- તેનો અર્થ છે કે હે હનુમાનજી તમારા નામનો જાપ કરવાથી તમામ રોગો અને દોષ દૂર થાય છે અને વ્યક્તિના તમામ દુઃખ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે મંગળવાર અને શનિવારે આ દોહાનો જાપ કરવાથી વ્યક્તિના તમામ રોગ અને કષ્ટ દૂર થઈ જાય છે. બીજી તરફ મંગળવારે જાપ કરવાથી વ્યક્તિના તમામ રોગો દૂર થાય છે. માનસિક તણાવથી છુટકારો મળે છે.

આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર

संकट तें हनुमान छुड़ावै, मन क्रम बचन ध्यान जो लावै॥

દોહાનો અર્થ અને લાભ- આમાં કહેવામાં આવ્યું છે કે હું મારા મન અને મારા કાર્યોથી હનુમાનજીનું ધ્યાન કરું છું. બજરંગબલી હનુમાનજી તમામ મુશ્કેલીઓ અને અવરોધોથી વ્યક્તિને બચાવે છે. એવું માનવામાં આવે છે કે દર મંગળવાર અને શનિવારે આ દોહાનો જાપ કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. બીજી તરફ શનિવારે આ દોહાનો જાપ કરવાથી શનિ દોષથી રાહત મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો: શું તમે પણ સપનામાં માણ્યું છે તમારા ક્રશ સાથે સેક્સ, તો આ જરૂરથી વાંચજો
આ પણ વાંચો: અમરફળ છે કે પોષકતત્વો અને વિટામીનોનો ખજાનો, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: નાકમાં આંગળી નાખવાની આદત હોય તો સુધારી દેજો, રિસર્ચમાં થયા ચોંકાવનારા ખુલાસા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More