Home> Spiritual
Advertisement
Prev
Next

માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક, બેંક બેલેન્સમાં થશે વધારો

Guru Grah Gochar : માર્ચ મહિના દરમિયાન સૂર્ય, મંગળ, શુક્ર, બુધ રાશિ પરિવર્તન કરશે. સાથે જ શનિ જે 17 જાન્યુઆરીથી અસ્ત છે તે ઉદય થશે. અને દેવગુરુ બ્રહસ્પતિ અસ્ત થશે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર માર્ચ મહિનામાં ગ્રહોનું જે ગોચર થવાનું છે તે દરેક રાશિના જીવન પર અસર કરશે. 

માર્ચ મહિનામાં શનિનું ઉદય થવું અને ગુરુનું અસ્ત થવું આ 4 રાશિના લોકો માટે લાભકારક, બેંક બેલેન્સમાં થશે વધારો

Guru Grah Gochar : જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ મહિના દરમિયાન મોટા ગ્રહનું ગોચર થવા જઈ રહ્યું છે. માર્ચ મહિના દરમિયાન સૂર્ય, મંગળ, શુક્ર, બુધ રાશિ પરિવર્તન કરશે. સાથે જ શનિ જે 17 જાન્યુઆરીથી અસ્ત છે તે ઉદય થશે. અને દેવગુરુ બ્રહસ્પતિ અસ્ત થશે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો અનુસાર માર્ચ મહિનામાં ગ્રહોનું જે ગોચર થવાનું છે તે દરેક રાશિના જીવન પર અસર કરશે. પરંતુ ચાર રાશિ એવી છે જેમને આ ગોચર વિશેષ રીતે લાભ આપશે. 

આ પણ વાંચો:

જે ઘરમાં રવિવારે થાય છે આ કામ ત્યાં નથી રહેતી સમૃદ્ધિ, લોકો રહે છે ગરીબ

શરીરના આ ભાગ પર પડે ગરોળી તો સમજી લેજો થવાના છો માલામાલ, જાણો ગરોળીના શુકન અપશુકન

મિથુન રાશિમાં પ્રવેશ કરશે મંગળ, આ 4 રાશિના લોકો થશે માલામાલ, દરેક કાર્ય થશે સફળ

આ ચાર રાશિને માર્ચ મહિનામાં થશે ભરપૂર ફાયદો

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને માર્ચ મહિનામાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળશે. ખાસ કરીને 15 માર્ચ પછી આ રાશિના જાતકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તેમને કરિયર સંબંધિત સફળતા મળશે અને દાંપત્ય જીવનમાં પણ પ્રેમ વધશે. શત્રુ પરસ્ત થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 

મિથુન રાશિ

ગુરુનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે. દેવ ગુરુ ના કારણે માનસિક તનાવ દૂર થશે. સંબંધો સુધરશે અને પરિવાર તેમજ જીવનસાથીના સહયોગથી ઘરમાં કોઈ માંગલિક કાર્ય થશે. આવકના સોર્સ વધશે અને બેંક બેલેન્સમાં વધારો થશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે પણ શનિનું ઉદય થવું લાભકારી છે. તેઓ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરશે. જો આ રાશિના લોકો પ્રાઇવેટ જોબ કરે છે તો તેમને પ્રમોશન મળી શકે છે. નોકરી શોધતા લોકોને પણ સારી નોકરીની ઓફર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં નવા અવસર મળશે. વૈવાહિક સુખ વધશે.

આ પણ વાંચો:

હોલીકા દહન કરવાનું હોય તે દિવસે ન કરવા આ કામ, નહીં તો જીંદગી આખી કરવો પડશે અફસોસ

હોલિકા દહનની રાખના આ ટોટકા દૂર કરશે દુર્ભાગ્ય, માતા લક્ષ્મીનો ઘરમાં થશે વાસ

ધન રાશિ

જે સમસ્યા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી તેનો અંત આવશે. વ્યક્તિગત જીવનમાં સફળતા મળશે. વેપાર નો વિસ્તાર થશે. કાર્ય સફળતા પ્રાપ્ત થશે. દાંપત્યજીવન સુખી રહેશે. પ્રાઇવેટ જોબ કરતા લોકોનો સમય અનુકૂળ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More