Home> Spiritual
Advertisement
Prev
Next

Dhan Labh Upay: આળસ છોડી રોજ સવારે કરી લો આ ઉપાય, માં લક્ષ્મી ચાર હાથે વરસાવશે તમારા પર ધન

Dhan Labh Upay:જે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય એટલે કે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત ન હોય તે પણ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરીને ધન અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જો વ્યક્તિ પોતાનું આળસ છોડીને સવારે કેટલાક કામ કરે છે તો માતા લક્ષ્મીના આશીર્વાદ તેના પર હંમેશા રહે છે.

Dhan Labh Upay: આળસ છોડી રોજ સવારે કરી લો આ ઉપાય, માં લક્ષ્મી ચાર હાથે વરસાવશે તમારા પર ધન

Dhan Labh Upay: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મીના આશીર્વાદ હોય તેના જીવનમાં કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યા રહેતી નથી. જે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય એટલે કે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત ન હોય તે પણ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરીને ધન અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જો વ્યક્તિ પોતાનું આળસ છોડીને સવારે કેટલાક કામ કરે છે તો માતા લક્ષ્મીના આશીર્વાદ તેના પર હંમેશા રહે છે. તો ચાલો તમને જણાવીએ કે આળસ છોડીને એવા કયા કામ છે જેના કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

આ પણ વાંચો:રાત્રે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવાથી થાય છે ચમત્કાર, ધન પ્રાપ્તિના સર્જાય છે યોગ

દાન કરો

જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગે છે તો સવારે વહેલા જાગી જવું અને સ્નાન કર્યા પછી માતા લક્ષ્મીની પૂજા કરવી. સાથે જ શંખ, કોડી, કમળનું ફૂલ જેવી વસ્તુઓ જે માતા લક્ષ્મી ને પ્રિય છે તેનું દાન કરવું.

સાફ-સફાઈ

સવારે આળસ છોડી અને ઘરની સાફ-સફાઈ કરવી. સ્વચ્છ ઘરમાં જ માતા લક્ષ્મી વાસ કરે છે સવારના સમયે માતા લક્ષ્મીની પૂજા કરો તે પહેલા જ ઘરમાં સાફ-સફાઈ કરી ઘરને ચોખ્ખું કરી લેવું. 

આ પણ વાંચો: Shaniwar Upay: જીવનના બધા જ દુ:ખ અને તકલીફોને દુર કરશે 8 શનિવારનો આ ઉપાય

મીઠાના પાણીના પોતા

સવારે સાફ-સફાઈ કર્યા પછી ઘરમાં પોતા કરવાના પાણીમાં મીઠું ઉમેરી તેનો ઉપયોગ કરવો જોઈએ. મીઠાના પાણીના પોતા કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

શુક્રવારે કરો આ ઉપાય

નિયમિત રીતે આ કામ કરવાની સાથે શુક્રવારે એક વિશેષ ઉપાય કરવો જોઈએ કારણ કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરી તેમને ખીરનો ભોગ ધરાવવો. આ સરળ કામ કરી લેવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે.

આ પણ વાંચો: Ram Mandir: આ છે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા અનોખા રામ મંદિર

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More