Home> Spiritual
Advertisement
Prev
Next

Budhaditya Rajyog: 24 કલાકમાં પલટી મારશે મેષ સહિત આ રાશિઓનું ભાગ્ય, ધન સંક્રાતિમાં કમાશો અઢળક રૂપિયો

Budhaditya Rajyog: આ યોગ જે વ્યક્તિની કુંડળીમાં બને છે તે વ્યક્તિ ધન, વૈભવ, માન-સન્માન અને તમામ પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત કરે છે. 16 ડિસેમ્બર પછીનો સમય અતિ શુભ છે કારણ કે બુધાદિત્ય રાજયોગની સાથે મેષ રાશિમાં રાજલક્ષણ રાજરોગ અને રૂચક રાજયોગનું પણ નિર્માણ થયું છે. જેના કારણે મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને વિશેષ ફાયદો થવાનો છે. 

Budhaditya Rajyog: 24 કલાકમાં પલટી મારશે મેષ સહિત આ રાશિઓનું ભાગ્ય, ધન સંક્રાતિમાં કમાશો અઢળક રૂપિયો

Budhaditya Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય ગ્રહ એવો છે જે દર મહિને પોતાની રાશિ બદલે છે. આ મહિનામાં 16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં પહેલાથી જ બુધ ગોચર કરે છે. એક રાશિમાં બુધ અને સૂર્યના ગોચરથી બુધાદિત્ય રાજયોગ નું નિર્માણ થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ ગણાય છે. આ યોગ જે વ્યક્તિની કુંડળીમાં બને છે તે વ્યક્તિ ધન, વૈભવ, માન-સન્માન અને તમામ પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત કરે છે. હાલનો સમય અતિ શુભ છે કારણ કે બુધાદિત્ય રાજયોગની સાથે મેષ રાશિમાં રાજલક્ષણ રાજરોગ અને રૂચક રાજયોગનું પણ નિર્માણ થયું છે. જેના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ ફાયદો થવાનો છે. 

આ પણ વાંચો: Shukrawar Upay: શુક્રવારે કરી લો બસ આ 5 કામ, માતા લક્ષ્મી તમારા પર રહેશે સદા પ્રસન્ન

મેષ રાશિ

મેષ રાશિ માટે સૂર્યનું ધન રાશિમાં ગોચર અત્યંત ફળદાયી રહેવાનું છે. આ રાશિના લોકોનું ભાગ્ય ચમકી જવાનું છે કારણ કે આ સમય તેમના માટે ખૂબ જ શુભ હશે. આ રાશિના લોકો ધનની બાબતમાં ભાગ્યશાળી સાબિત થશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમને સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. જે લોકો પાસે નોકરી નથી તેમને આ સમય દરમિયાન સારી નોકરી મળશે આવકમાં પણ ખૂબ જ વધારો થશે.

આ પણ વાંચો: 30 વર્ષ પછી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે સૂર્યની જેમ, વર્ષ 2024 માં નક્કી બનશો અમીર

સિંહ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નવા વર્ષની શરૂઆત તમારા માટે ખુશીઓ લઈને આવશે. આ સમય દરમિયાન નોકરીમાં પ્રમોશન મળવાની સંપૂર્ણ સંભાવના છે. જો સમજી વિચારીને રોકાણ કરશો તો ફાયદો નક્કી છે. કોઈ સારી કંપનીમાં ઊંચી પોસ્ટ પર નોકરીની ઓફર મળી શકે છે. આ સમય ધાર્મિક કે માંગલિક કાર્યક્રમ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: સાત પેઢીની ગરીબી દુર કરી દેશે તુલસીનો આ ચમત્કારી ઉપાય, પેઢી દર પેઢી વધશે સુખ-સમૃદ્ધિ

તુલા રાશિ

સૂર્ય અને બુધની યુતિથી બુદ્ધાદિત્ય રાજયોગ બની રહ્યો છે જે દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે. આ સમય દરમિયાન પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિ થવાની સંપૂર્ણ સંભાવના છે. પૈસા કમાવાની સારી તક પ્રાપ્ત થશે. બુધાદિત્ય રાજયોગથી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કારકિર્દીમાં ઊંચા પદ સુધી પહોંચી શકશો.

આ પણ વાંચો: એલચીને પીળા કપડામાં બાંધી કરી લો આ ઉપાય, રૂપિયા ગણતા ગણતા થાકશો એટલી થશે આવક

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More