Home> Spiritual
Advertisement
Prev
Next

આગામી 15 દિવસમાં આ રાશિવાળા બનશે ધનવાન! ગ્રહોની ચાલ બદલાય તે પહેલા ભાગ્ય પલટાઈ જશે, સુખ-સમૃદ્ધિ વધશે

ગ્રહોની ચાલ બદલાતા પહેલા આવનારા 15 દિવસ દરમિયાન પાંચ રાશિઓને ધનલાભ થઈ શકે છે. તેમને આકસ્મિક ધનલાભની સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થઈ શકે છે. જે રાશિઓનો ભાગ્યોદય થશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો. 

આગામી 15 દિવસમાં આ રાશિવાળા બનશે ધનવાન! ગ્રહોની ચાલ બદલાય તે પહેલા ભાગ્ય પલટાઈ જશે, સુખ-સમૃદ્ધિ વધશે
Viral Raval |Updated: Jun 27, 2024, 08:58 AM IST

વૈદિક પંચાંગ મુજબ 9 જુલાઈના રોજ બુધ બપોરે 12.29 વાગે આશ્લેષા નક્ષત્રમાં ગોચર કરશે. ત્યારબાદ આ જ દિવસે શુક્ર પણ પોતાની ચાલ બદલશે અને 9 જુલાઈના રોજ રાતે 9.44 વાગે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશશે. આવામાં ગ્રહોની ચાલ બદલાતા પહેલા આવનારા 15 દિવસ દરમિયાન પાંચ રાશિઓને ધનલાભ થઈ શકે છે. તેમને આકસ્મિક ધનલાભની સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થઈ શકે છે. જે રાશિઓનો ભાગ્યોદય થશે તે ભાગ્યશાળી રાશિઓ વિશે ખાસ જાણો. 

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળાને ગત વર્ષે શેર માર્કેટમાં પૈસા લગાવ્યા હશે તો હવે પ્રોફિટ થઈ શકે છે. વેપારીઓના માન સન્માનમાં વધારો  થઈ શકે છે. ડ્રીમ કાર ખરીદી શકો છો. બોસ તમારા કામથી ખુશ થઈને તમારું પ્રમોશન પણ કરી શકે છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

મિથુન રાશિ
આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. ધન કમાવવાના નવા રસ્તા ખુલશે. પ્રાઈવેટ નોકરી કરી રહેલા લોકોના પ્રમોશન  થવાના યોગ છે. વેપારમાં જલદી શાનદાર લાભ થઈ શકે છે. ઘરમાં કોઈનો સંબંધ નક્કી થઈ શકે છે જેના કારણે પરિવારમાં ખુશીઓનું આગમન થશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. 

સિંહ રાશિ
નોકરીયાતો મન લગાવીને કામ કરશે તો પ્રમોશનના ચાન્સ છે. હાલમાં જેમણે નવી દુકાન  ખોલી હશે તેમને સારો એવો લાભ થઈ શકે છે. અનેક વર્ષો પહેલા કરાયેલા રોકાણથી હવે સારું રિટર્ન મળી શકે છે. શેર ખરીદવા માટે પણ ઉત્તમ સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

વૃશ્ચિક રાશિ
સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને કરિયરમાં ઉન્નતિની નવી તકો મળી શકે છે. નોકરીયાતોને કંપની તરફથી ઈન્ટરનેશનલ સેમિનારમાં ભાગ લેવાની તક મળી શકે છે. લગ્નજીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. ધનની આવકના યોગ છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે. 

મકર રાશિ
દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે. જેના કારણે નોકરીયાતોને પ્રમોશન થઈ શકે છે. આવકમાં વધારો થશે જેનાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે. નવો વેપાર શરૂ કરવા માટે સારો સમય છે. બેરોજગાર લોકોને રોજગારીની નવી તકો મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે