Home> Spiritual
Advertisement
Prev
Next

જે વ્યક્તિની હથેળીમાં હોય આ નિશાન તે લગ્ન પછી બને છે અમીર, સાસરું મળે છે પ્રભાવશાળી

Palmistry: વ્યક્તિ કેટલી ભાગ્યશાળી છે તે તેના હાથ પરથી પણ જાણી શકાય છે. કેટલાક લોકો જન્મથી જ ભાગ્યવાન હોય છે. આ વાતની જાણકારી હથેળીમાં રહેલી રેખાઓ, નિશાન અને ચિન્હો પરથી મળી શકે છે. જો હથેળીમાં કેટલાક શુભ ચિન્હો હોય તો વ્યક્તિને જીવનમાં અપાર ધન અને સંપત્તિ મળે છે. આજે તમને આવા જ કેટલાક શુભ ચિન્હો વિશે જણાવીએ જે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે.

જે વ્યક્તિની હથેળીમાં હોય આ નિશાન તે લગ્ન પછી બને છે અમીર, સાસરું મળે છે પ્રભાવશાળી

Palmistry: તમે જોયું હશે કે ઘણા લોકો ખૂબ જ સરળતાથી અમીર બની જાય છે અને કેટલાક લોકો દિવસ રાત મહેનત કરે તેમ છતાં બે છેડા ભેગા થતા નથી. આમ થવા પાછળ વ્યક્તિની કુંડળીના ગ્રહ નક્ષત્ર, વ્યક્તિના કર્મ અને ભાગ્ય જવાબદાર હોય છે. વ્યક્તિ કેટલી ભાગ્યશાળી છે તે તેના હાથ પરથી પણ જાણી શકાય છે. કેટલાક લોકો જન્મથી જ ભાગ્યવાન હોય છે. આ વાતની જાણકારી હથેળીમાં રહેલી રેખાઓ, નિશાન અને ચિન્હો પરથી મળી શકે છે. જો હથેળીમાં કેટલાક શુભ ચિન્હો હોય તો વ્યક્તિને જીવનમાં અપાર ધન અને સંપત્તિ મળે છે. આજે તમને આવા જ કેટલાક શુભ ચિન્હો વિશે જણાવીએ જે વ્યક્તિને ભાગ્યશાળી બનાવે છે.

આ પણ વાંચો:

Astro Tips: રસ્તા પર પડેલા પૈસા ભાગ્ય બદલે કે બગાડે ? જાણો શું કરવું આવું થાય ત્યારે

મહત્વના કામ માટે જતા હોય ત્યારે ગાયને રોટલીમાં હળદર મુકી ખવડાવી દો, કાર્ય થશે સફળ

1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ

- જો કોઈ વ્યક્તિની હથેળીમાં શુક્ર પર્વત સારી રીતે ઉભરેલો હોય તો તે વ્યક્તિ જીવનમાં અમીર બને છે. તે દરેક પ્રકારના સુખ ભોગવે છે.

- જો શુક્ર પર્વત ઉપર ચોકડી નું નિશાન હોય તો વ્યક્તિ લગ્ન પછી ધનવાન બને છે. આવા વ્યક્તિ લગ્ન પછી સફળતા પ્રાપ્ત કરે છે અને તેને જીવનસાથી પણ સહયોગ કરે છે.

- જો શુક્ર પર્વત પર વર્ગનું નિશાન હોય તો વ્યક્તિ ના લગ્ન અમીર ખાનદાનમાં થાય છે અને તેને પ્રભાવશાળી સાસરુ મળે છે. 

- હાથમાં ત્રણ સ્પષ્ટ મણિબંધ રેખા હોય તો વ્યક્તિ જીવનમાં અમીર બને છે તે અભ્યાસ પણ સારી રીતે કરે છે અને તે પોતાના પૂર્વ જન્મના સારા કર્મનું ફળ ભોગવે છે. 

- જો હથેળીમાં ગુરુ પર્વત સારી રીતે વિકસિત હોય તો વ્યક્તિ અમીર અને પ્રખ્યાત બને છે. આવા લોકો દરેક ક્ષેત્રમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. 

- જે વ્યક્તિની હથેળીમાં શનિ પર્વત મજબૂત હોય તે વ્યક્તિ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે અને સશક્ત લીડર બને છે આવા લોકો પોતાની મહેનત ના આધારે પૈસો અને નામના મેળવે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More