Home> Spiritual
Advertisement
Prev
Next

ગણતરીની કલાકોમાં શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ, દોઢ વર્ષ સુધી રાજા જેવું જીવન કરશે પસાર

Rahu Ketu Gochar 2023: રાહુ અને કેતુના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને ખૂબ જ લાભ થવાનો છે. આ રાશિના લોકોને આગામી દોઢ વર્ષ સુધી દરેક કાર્યમાં સફળતા અને ધન લાભ પ્રાપ્ત થશે. આ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ હવે શરૂ થવા જઈ રહ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે 30 ઓક્ટોબર પછી કઈ રાશિના લોકોને ચાંદી જ ચાંદી થવાની છે. 

ગણતરીની કલાકોમાં શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ, દોઢ વર્ષ સુધી રાજા જેવું જીવન કરશે પસાર

Rahu Ketu Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુ ને માયાવી ગ્રહ કહેવાયા છે. આ ગ્રહ હંમેશા વક્રી ગતિ કરે છે અને દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે. 30 ઓક્ટોબરે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે. રાહુ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ તુલા રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં ગોચર કરશે. આ બંને ગ્રહોના રાશિ પરિવર્તનથી દરેક રાશિના લોકોના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ જોવા મળશે.

જોકે રાહુ અને કેતુના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને ખૂબ જ લાભ થવાનો છે. આ રાશિના લોકોને આગામી દોઢ વર્ષ સુધી દરેક કાર્યમાં સફળતા અને ધન લાભ પ્રાપ્ત થશે. આ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ હવે શરૂ થવા જઈ રહ્યો છે. તો ચાલો તમને જણાવીએ કે 30 ઓક્ટોબર પછી કઈ રાશિના લોકોને ચાંદી જ ચાંદી થવાની છે. 

આ પણ વાંચો:

દિવાળી પહેલા જ આ 3 રાશિની થશે ચાંદી જ ચાંદી, શનિ માર્ગી થઈ ચારે તરફથી કરાવશે લાભ

30 ઓક્ટોબરથી આ રાશિઓના ખરાબ દિવસો થશે શરુ, દિવસે તારા દેખાડશે રાહુ

દિવાળી પર આ વિધિથી ઘરમાં સ્થાપિત કરો શ્રી લક્ષ્મી-ગણેશ યંત્ર, ઘરમાં થશે ધનના ઢગલા

મેષ રાશિ

રાહુ અને કેતુ ના રાશિ પરિવર્તનથી મેષ રાશિના લોકોને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. રાહુ મેષ રાશિમાંથી નીકળી મીનમાં જશે જેના કારણે મેષ રાશિના લોકોને મોટી રાહત મળશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જૂની સમસ્યાઓ પણ દૂર થશે. જીવનમાં સુખ સુવિધા વધશે અને સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે.

વૃષભ રાશિ

રાહુ અને કેતુ નું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકોને પણ અનુકૂળ પરિણામ આપશે. દરેક નિર્ણયમાં ભાગ્ય સાથે આપશે. અચાનક ધન લાભ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે. વિદેશથી લાભ પ્રાપ્ત થશે સંપત્તિમાં રોકાણ કરવાથી પણ ફાયદો થશે કરિયરની બાબતમાં આ સમય ખૂબ જ ઉત્તમ છે.

કર્ક રાશિ

રાહુ અને કેતુનું ગોચર કર્ક રાશિના લોકો માટે પણ શુભ ફળદાયી રહેવાનું છે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. પ્રગતિના નવા રસ્તા ખુલશે આ સમય દરમિયાન વિદેશ યાત્રા પર પણ જઈ શકો છો. નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. અટકેલું ધન પરત મળશે. કરિયર અને આર્થિક બાબતોમાં લાભ મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More