Home> Relationship
Advertisement
Prev
Next

Relationship: જે પતિ-પત્ની ભગવત ગીતાની આ 4 વાતોને સમજી લે તેના સંબંધોમાં ક્યારેય ન આવે સમસ્યા

Relationship:ભગવત ગીતામાં જણાવેલી આ ચાર વાતોનું પાલન જો પતિ-પત્ની કરે તો તે સુખી જીવન જીવી શકે છે. આ વાતોને ગ્રહણ કરે છે તેના સંબંધો અતુટ રહે છે અને પ્રેમની પણ ખામી સજાતી નથી. આ 4 નિયમોને અપનાવીને પતિ-પત્ની સફળ, શાંત અને સુખી જીવન જીવી શકે છે.

Relationship: જે પતિ-પત્ની ભગવત ગીતાની આ 4 વાતોને સમજી લે તેના સંબંધોમાં ક્યારેય ન આવે સમસ્યા

Relationship: શ્રીમદ ભાગવત ગીતામાંથી એ દરેક વ્યક્તિએ શીખ લેવી જોઈએ જ જીવનમાં સુખી રહેવા માંગે છે. ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જીવન જીવવાનું માર્ગદર્શન આપ્યું છે. જે વ્યક્તિ ભગવત ગીતાના આ માર્ગદર્શનને સમજે છે તે જીવનમાં સુખી રહે છે. ભગવત ગીતામાં સંબંધોને મજબૂત અને પ્રેમથી ભરપૂર રાખવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 

ભગવત ગીતામાં જણાવેલી આ ચાર વાતોનું પાલન જો પતિ-પત્ની કરે તો તે સુખી જીવન જીવી શકે છે. આ વાતોને ગ્રહણ કરે છે તેના સંબંધો અતુટ રહે છે અને પ્રેમની પણ ખામી સજાતી નથી. આ 4 નિયમોને અપનાવીને પતિ-પત્ની સફળ, શાંત અને સુખી જીવન જીવી શકે છે.

આ પણ વાંચો: Extra Marital Affairs: શા માટે લગ્ન પછી બીજા પુરુષ સાથે લફરું કરે છે પરિણીત મહિલા ?

મર્યાદા નક્કી કરો 

દરેક સંબંધની એક મર્યાદા હોય છે જે બે વ્યક્તિ સાથે મળીને નક્કી કરે છે. આ મર્યાદાને પતિ પત્નીએ ક્યારેય ઓળંગવી જોઈએ નહીં. ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યારે તમે બીજા વ્યક્તિની નિજતાનું સન્માન નથી કરતા અને મર્યાદાનું ઉલંઘન કરો છો તો સંબંધોમાં સમસ્યા આવે છે. 

આ પણ વાંચો: Hardik-Natasa Divorce: માતા-પિતાના છૂટાછેડાની બાળક પર પડે કેવી અસર ?

બીજાના નિર્ણયને મહત્વ આપો 

ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ જણાવ્યું છે કે દરેક વ્યક્તિને પોતાની પસંદ અને નાપસંદ અનુસાર રહેવાની સ્વતંત્રતા હોય છે. પતિ-પત્ની એ પણ એકબીજાની આ સ્વતંત્રતાની હાની કરવી નહીં. એટલે કે પતિ પત્નીએ એકબીજાના નિર્ણય એકબીજા પર થોપવા નહીં. જે પતિ પત્ની આવું કરે છે તેમના સંબંધ નબળા પડી જાય છે. 

આ પણ વાંચો: મનમાં નકારાત્મક વિચારો વધવા લાગે ત્યારે કરો આ કામ, 5 મિનિટમાં થઈ જશો હળવાફૂલ જેવા

રોકટોક ન કરો 

જ્યારે પાર્ટનર એકબીજાને રોકવા લાગે છે ત્યારે વ્યક્તિ સંબંધમાં ખુલીને સ્વતંત્ર રીતે જીવી શકતી નથી જેના કારણે સંબંધોમાં બંધન અને સમસ્યાનો અનુભવ થવા લાગે છે. ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે દરેક વ્યક્તિને તેની પસંદ અનુસાર જિંદગી જીવવા દેવી જોઈએ તેમાં કોઈ પણ પ્રકારની રોકટોક કરવી નહીં. 

આ પણ વાંચો: રિલેશનશીપમાં પાર્ટનર સાથે રોજ થાય છે માથાકુટ? આ ટીપ્સ ફોલો કરી મેનેજ કરો સ્ટ્રેસ

સ્વભાવમાં ઉદારતા રાખો 

ભગવત ગીતામાં સંબંધોને મજબૂત બનાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, એકબીજા પ્રત્યે હંમેશા ઉદાર રહેવું. જ્યારે તમે કોઈ માટે મનમાં પ્રેમ અને સદભાવ રાખો છો તો સંબંધ પણ મજબૂત અને ખુશહાલ રહે છે. જો પાર્ટનર અને તેના પરિવાર માટે ઉદારભાવ નથી રાખતા તો તેનાથી સંબંધોમાં સમસ્યા થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More