PHOTOS

અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડશે કે નહીં? જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડશે

ain forecast: અમદાવાદમાં રથયાત્રાની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની 147મી વાર્ષિક રથયાત્રા 7 જુલાઈ, ગુરુવારના રોજ ધામધૂમ...

Advertisement
1/7

રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરવા નીકળે છે. રથયાત્રાના દિવસે સામાન્ય રીતે વરસાદ જોવા મળે છે. આ વર્ષે ચોમાસની સારી શરૂઆત થઈ છે. અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો. ત્યારે રથયાત્રાના દિવસોમાં પણ વરસાદનું જોર રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

2/7

રથયાત્રાની ઉજવણી પૂર્વે પણ રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી લઈને ભારે વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ જોવા મળી શકે. ભારે વરસાદને પગલે આગામી પાંચ દિવસ માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. આગામી પાંચ દિવસ વરસાદ જોવા મળશે. 

3/7

1 જુન થી 3 જુલાઈ સુધી સરેરાશ કરતા 7 ટકા વધુ વરસાદ થયો છે. અત્યાર સુધીમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

4/7
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી

રથયાત્રા (7 જુલાઈ)એ અમદાવાદમાં સંભવિત હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આજે સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા સાથે રેડ અલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે અને રાજકોટ, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગરમાં યેલો અલર્ટ અપાયું છે. 

5/7

દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થતાં વરસાદની શક્યતા સેવવામાં આવી છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની (Heavy Rain) હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કહી છે કે, આવનારા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain Forecast) પડશે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ગાંધીનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં આગામી સાત દિવસ હળવોથી મધ્યમ વરસાદ શક્યતા છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

6/7
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી

રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 7 જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પંચમહાલ વિસ્તારમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે.

7/7

અષાઢી પાંચમે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે, જેના કારણે 8થી 14 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 15 તારીખે બંગાળનાં ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદ લાવશે. 25 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત,દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે.