PHOTOS

Shani Jayanti 2024: શનિ જયંતિ પર આ 5 પ્રસિદ્ધ મંદિરોના દર્શનથી થઈ જાય છે બેડો પાર...કિસ્મતવાળાને જ મળે છે આવો મોકો

ે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે અવતર્યા હતા. શનિદેવને પ્રસન...

Advertisement
1/5
1. શનિ શિંગણાપુર
1. શનિ શિંગણાપુર

શનિદેવનું સૌથી પ્રસિદ્ધ મંદિર, શનિ શિંગણાપુર મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલું છે. શિંગણાપુર સ્થિત શનિ મંદિરમાં આવેલી શનિદેવની પ્રતિમા લગભગ 5 ફૂટ 9 ઈંચ ઊંચી અને લગભગ 1 ફૂટ 6 ઈંચ પહોળી છે. દેશ-વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળી શકે છે.

 

2/5
2. શનિચરા મંદિર, મોરેના
2. શનિચરા મંદિર, મોરેના

શનિદેવનું પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસેના એંટી ગામમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ શનિદેવને રાવણના કેદમાંથી મુક્ત કર્યા હતા અને તેમને મોરેના પર્વત પર આરામ કરવા માટે છોડી દીધા હતા. આ મંદિર સૌથી પ્રાચીન માનવામાં આવે છે.

3/5
3. શનિ મંદિર, પ્રતાપગઢ
3. શનિ મંદિર, પ્રતાપગઢ

શનિદેવનું મુખ્ય મંદિર ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પણ આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે દર શનિવારે ભગવાનને 56 પ્રકારની વાનગીઓ ચઢાવવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

4/5
4. શનિ મંદિર, ઈન્દોર
4. શનિ મંદિર, ઈન્દોર

મધ્યપ્રદેશની રાજધાની ઈન્દોરમાં શનિદેવનું એક પ્રાચીન મંદિર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ભગવાન શનિ સ્વયં આવ્યા હતા. અહીં શનિદેવની મૂર્તિને દરરોજ 16 વખત શણગારવામાં આવે છે. વળી, અહીં શનિદેવને તેલથી નહીં પણ સિંદૂરથી શણગારવામાં આવે છે.

5/5
5. શનિ તીર્થ ક્ષેત્ર, આસોલા, ફતેહપુર બેરી
5. શનિ તીર્થ ક્ષેત્ર, આસોલા, ફતેહપુર બેરી

શનિ તીર્થ ક્ષેત્ર દિલ્હીના મહેરૌલીમાં આવેલું છે. કહેવાય છે કે અહીં આવનાર વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ સ્વયં જાગૃત અવસ્થામાં અહીં હાજર છે. અહીં શનિદેવની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે, તેને જોવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)





Read More