PHOTOS

Solar Eclipse 2019 : ગ્રહણને પગલે મંદિરો બંધ રહ્યા, તો ક્યાંક અંધશ્રદ્ધા દૂર કરવાનો કરાયો પ્રયાસ

clipse 2019) નો નજારો માણ્યો છે. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 8.05 કલાકે થઈ હતી, જેના બાદ સવારે 9.22 કલાકે સૂર્ય અમાસના ચંદ્ર દ્વારા 75 ટકા...

Advertisement
1/5

સૂર્યગ્રહણ નિહાળવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ ટેલિસ્કોપની મદદથી સૂર્યગ્રહણ નિહાળ્યું હતું.

2/5

ગ્રહણ દરમિયાન કંઈ ખાઈ-પી ન શકાય તેવી અંધશ્રદ્ધાને વડોદરાના ખગોળ શાસ્ત્રી દ્વારા દૂર કરવામાં આવી. વડોદરામાં સૂર્યગ્રહણ દરમિયાન વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યો હતો. ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે આ અંધશ્રદ્ધા તોડવા માટે વિદ્યાર્થીઓ સાથે નાસ્તો કર્યો હતો. સમાજમાં સૂર્યગ્રહણ દરમિયાન કઈ ખાવું પીવું ન જોઈએ તેવી માન્યતા છે. ત્યારે સમાજમાં ફેલાયેલ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સૂર્યગ્રહણ સમયે નાસ્તો ખાવામાં આવ્યો હતો. 

3/5

સૂર્યગ્રહણને નિહાળવા મોટી સંખ્યામાં સોમનાથવાસીઓ ચોપાટી પર પહોંચ્યા હતા. સોમનાથવાસી દ્વારા સૂર્યગ્રહણ જાણો અને નિહાળો કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથની દરેક શાળાના વિદ્યાર્થીઓ તેમજ યાત્રિકો મોટી સંખ્યામાં ચોપાટી પર પહોંચ્યા હતા, અને સૂર્યગ્રહણને નિહાળ્યું હતું. 

4/5

બારેમાસ ભક્તોથી ધમધમતા અંબાજી મંદિરના આજે દ્વારા બંધ કરાયા હતા. જેથી અંબાજી મંદિરના પ્રાંગણમાં એક ચકલુય ફરક્યું ન હતું.   

5/5

સોમનાથ મંદિર પણ સૂર્યગ્રહણને પગલે બંધ રખાયું હતું. જેથી મંદિરની બહાર બોર્ડ મૂકવામાં આવ્યું હતુ. 





Read More