ત્ર કહે છે કે જો શનિદેવ જન્મકુંડળીમાં શુભ સ્થિતિમાં હોય છે તો જાતકને સારા પરિણામ મળે છે. શનિની ...
વર્તમાનમાં શનિ ગ્રહ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં બિરાજમાન છે. શનિ કોઈપણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. હવે શનિ કુંભ રાશિમાં માર્ગી થવાના છે. 4 નવેમ્બરે ન્યાયદેવતા તથા કર્મફળદાતા શનિદેવ કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. શનિના માર્ગી થવાથી ઘણા જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. શનિદેવની કૃપાથી આ જાતકોને કરિયરમાં નવા અવસર મળવાની સાથે ધનલાભ થઈ શકે છે. જાણો શનિદેવ કયા જાતકો પર પોતાની કૃપા બનાવી રાખશે.
વૃષભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું લાભકારી છે. શનિદેવની કૃપાથી તમને આર્થિક લાભ થઈ શકે છે. આ દરમિયાન તમે કાર્યોમાં ગતિ પ્રાપ્ત કરશો અને તમને મહેનતનું પરિણામ મળશે. પ્રોફેશનલ લાઇફ સારી રહેશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે.
મિથુન રાશિના જાતકો માટે શનિદેવ કરિયર સાથે જોડાયેલી સંભાવનાઓ લાવી શકે છે. તમને ભાગ્યનો સાથ મળશે. તમારા પ્રયાસોની પ્રશંસા થશે. તમને મહેનતનું ફળ મળશે. શનિનો પ્રભાવ વ્યાવસાયિક મામલામાં તમને આગળ લઈ દશે. કોર્ટ-કચેરીના મામલામાં તમને વિજય મળી શકે છે.
સિંહ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું શુભ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળવાને કારણે તમારી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિરતા વધશે. જે જાતકો માટે કાયદાકીય મુદ્દા મુશ્કેલીનું કારણ બન્યા હતા, તેને છુટકારો મળી શકે છે. સન્માન અને પ્રશંસા વધવાથી તમારી સામાજિક સ્થિતિમાં સુધાર થઈ શકે છે.
મકર રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ શુભ સાબિત થઈ શકે છે. કરિયરના મોર્ચા પર શનિની ચાલ લાભકારી થઈ શકે છે. શનિદેવની કૃપાથી તમને પ્રગતિ અને સારા કામની સંભાવનાઓ મળી શકે છે. તમને રોજદારીની સારી તકોની સાથે સન્માનિત કરવામાં આવશે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.