પ્રથમ વાર અને આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન જાગૃત...
સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પાસે એક મોટી રંગોળી બનાવાઈ છે, સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે. તેથી આ જગ્યા ઉપર 70×70 ફૂટની રંગોળી બનાવી જેમાં મતદાન માટે અપીલ કરવામાં આવી છે.
સાથે લોકશાહીના મહાપર્વમાં યુવા મતદાર પણ આ ફરજ નિભાવે અને પોતાને ગમતા ઉમેદવારની પસંદગી કરે, તેમજ સાથે બીજા મતદારોને પણ મત આપવા માટે અપીલ કરે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લાના નોડલ ઓફિસર તેમજ વિવિધ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા.