PHOTOS

PHOTOS: છેલ્લા એક વર્ષથી પીએમ મોદીના ડાયેટમાં આવ્યો છે આ મહત્વનો ફેરફાર, ખાસ જાણો તંદુરસ્તીનું રહસ્ય

ીને પોતાના પ્રશંસકો અને અનુયાયીઓ માટે મિસાલ બનીને કઈ પણ કહ્...

Advertisement
1/4
એક વર્ષથી છે ખાસ ડાયેટ પ્લાન
એક વર્ષથી છે ખાસ ડાયેટ પ્લાન

પ્રધાનમંત્રીને નજીકથી ઓળખનારા લોકો જાણે છે કે તેમનો અનુશાસિત ડાયેટ પ્લાન જ તેમના સ્વાસ્થ્યનું મૂળ રહસ્ય છે. હાલ નવરાત્ર દરમિયાન બધાને ખબર પડી ગઈ છે કે પીએમ મોદી આ નવ દિવસો દરમિયાન પોતાના ઉપવાસમાં શું શું ખાય છે પીવે છે. પરંતુ બહુ ઓછા લોકોને એ જાણકારી છે કે છેલ્લા એક વર્ષથી પીએમ મોદી પોતાને સ્વસ્થ રાખવા માટે એક ખાસ પ્રકારના ડાયેટ પ્લાનને અનુસરી રહ્યા છે અને તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. 

2/4
વજન નિયંત્રણની સાથે ઉર્જાવાન રાખે છે આ પ્લાન
વજન નિયંત્રણની સાથે ઉર્જાવાન રાખે છે આ પ્લાન

પીએમ મોદીના આ ડાયેટ પ્લાનને એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તે વ્યક્તિના વજનને પણ સંતુલિત રાખે અને તેના દૈનિક કાર્યો માટે જરૂરી ઉર્જા પણ તેમાથી મળી રહે. આખો દિવસ ઉર્જાવાન રાખનારા આ પ્લાનમાં શું  ખાવાનું તેના પર રોક લગાવવામાં આવતી નથી પરંતુ ખાવાના સમય નક્કી કરીને તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. 

3/4
બેવાર ભોજન કરે છે પ્રધાનમંત્રીજી
બેવાર ભોજન કરે છે પ્રધાનમંત્રીજી

આ ડાયેટ પ્લાન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિવસમાં બેવાર ભોજન કરે છે. પહેલીવાર સવારે 10 વાગ્યાથી 10.55 સુધીમાં અને સાંજે 7 વાગ્યાથી 7.55 સુધીમાં. બંને સમયે તેઓ પોતાના ભોજન માટે 55 મિનિટનો સમય આપે છે. આ પ્લાન હેઠળ ભોજનમાં પ્રોટીન વધુ અને કાર્બોહાઈડ્રેડ ઓછું રાખવાની ભલામણ કરાઈ છે. પ્લાનમાં વહેલી સવારે ભ્રમણને પણ જરૂરી કરવામાં આવ્યું છે. 

4/4
પીએમ મોદીનો નવરાત્રિમાં ડાયેટ
પીએમ મોદીનો નવરાત્રિમાં ડાયેટ

નવરાત્રિના નવ દિવસ સુધી પ્રધાનમંત્રી નારિયેળ પાણી અને હુંફાળા લીંબુ પાણીનું જ સેવન કરે છે. આ ઉપરાંત સામાન્ય દિવસોમાં તેઓ નાશ્તામાં ગુજરાતી ભાખરી, ખાંડવી, ઈડલી સંભાર, ઢોકળા, ડોસા, પૌંઆ, અને ભોજનમાં હળવો ગુજરાતી કે દક્ષિણ ભારતીય ભોજન કરતા હતા. પરંતુ હવે આ ભોજન સવાર અને સાંજે 55 મિનિટ માટેના નિર્ધારિત ભોજનમાં સિમિત કરી દેવાયું છે. 





Read More