PHOTOS

PM મોદીએ મકર સંક્રાંતિ પર ગાયોને ખવડાવ્યો ગોળ, પરંપરાનું પાલન કરી દેશવાસીઓને આપ્યો ગૌ સેવાનો સંદેશ

્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના પર્વ પર ગાયો પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે ગૌ સેવાની પરંપરાનું પાલન કરી ઉત્તરાયણ પર...

Advertisement
1/5

દેશભરમાં આજે મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. મકર સંક્રાંતિ પર ગૌ સેવાનું વિશેષ મહત્વ હોય છે. 

2/5

મકર સંક્રાંતિના પર્વ પર લોકો દાન પુણ્ય કરવાની સાથે ગૌ સેવા પણ કરતા હોય છે. આ દિવસે ગૌ માટે દાન પણ કરવામાં આવે છે.

3/5

મકર સંક્રાંતિ પર મોટી સંખ્યામાં લોકો ગૌશાળા ખાતે દાન-પુણ્ય કરવા અને ગાયોની સેવા કરવા માટે જતા હોય છે.  ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉત્તરાયણના દિવસે આ પરંપરાનું પાલન કરી ગૌવંશની સેવાનો સંદેશ દેશવાસીઓને આપ્યો છે. 

4/5

મકર સંક્રાતિના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં પીએમ આવાસ ખાતે ગાયોની સેવા કરતાં વડાપ્રધાન મોદી જોવા મળે છે.

5/5

પીએમ મોદીએ મકર સંક્રાંતિની સવારે ગાયોને ગોળ અને લીલું ઘાસ ખવડાવ્યું હતું અને તેમની સેવા કરી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે. 





Read More