PHOTOS

ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત

acle Incidence : એક પથ્થર લોકોનો જીવ પણ બચાવી શકે છે. આ વાત એટલા માટે કહીએ છીએ કારણ કે ગોધરાની પરવડી ચોકડી માટે એક પથ્થર પરિવા...

Advertisement
1/7

ગોધરા પરવડી ચોકડી પાસે થયેલા એક ટ્રક અકસ્માતમાં ચમત્કારી ઘટના બની હતી. આ ઘટનામાં એક પથ્થરે આખા પરિવારનો જીવ બચાવ્યો હતો.  

2/7

રવિવારે રાતના સમયે પરવડી ચોકડીથી એક ટેન્કર યમદૂત બનીને રસ્તા પર ધસી આવ્યું હતું. ડિવાઈડર કૂદીને આવેલુ ટેન્કર રોંગ સાઈડ પર એક મકાન પાસે ધસી ગયું હતું.  

3/7

જોકે, મકાનની લગોલગ મોત બની આવી ચડેલા ટેન્કરને એક વિશાળકાય પથ્થરે અટકાવ્યું હતું. જેથી ટેન્કર મકાનમાં ઘૂસતા પહેલા જ અટકી ગયુ હતું.  

4/7

ઘટના સમયે નજીકના જ મકાન માં એક પરિવાર ભોજન કરી રહ્યો હતો, જો ટેન્કર મકાનમાં ઘુસી જતું તો 6 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હોત.  

5/7

મકાનમાં 6 લોકોનો પરિવાર ભોજન કરી રહ્યો હતો, પરંતુ તેમનો પથ્થરને કારણે ચમત્કારિક રીતે બચાવ થયો હતો. 

6/7

દેવદૂત સમા પથ્થર ને કારણે પરિવારનો જીવ બચ્યો. આમ, પરિવારે તેને ચમત્કારિક રક્ષક ગણાવ્યો.

7/7

તો બીજી તરફ, મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ અકસ્માતમાં ટેન્કરમાં સવાર ચાલક અને તેનો પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.   





Read More