PHOTOS

Grah Gochar 2024: 1 જૂનથી નોટોના ઢગલામાં આળોટશે 4 રાશિના લોકો, ગ્રહોના સેનાપતિ કરાવશે જલસા

rong>  વૈદિક જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક પોતાના નિશ્વિત સમય પર ગોચર કરે છે. જૂનમાં મંગળ ગ્રહ પોતાનું સ્થાન પરિવર્તન કરવા જઇ રહ્ય...

Advertisement
1/6
મંગળ ગોચર 2024
મંગળ ગોચર 2024

વૈદિક જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક ગ્રહ એક નિશ્વિત સમય પર ગોચર કરે છે. જૂનમાં મંગળ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મંગળને લાલ ગ્રહના નામે પણ ઓળખવામાં આવે છે. મંગળને પરાક્રમ, સાહસ, શક્તિ, ઉર્જા આદિનો કારક ગણવામાં આવે છે. મંગળ મજબૂત થતાં જીવનમાં સફળતા મળે છે. આ સાથે જ પદ-પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય છે.  

2/6
મંગળ ગોચર
મંગળ ગોચર

મંગળ ગોચર આ સાથે જ વ્યક્તિ સાહસી, નિડર અને ઉર્જાવાન બને છે. 1 જૂનના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. એવામાં ઘણા શુભ યોગોનું નિર્માણ થઇ રહ્યું છે. મેષ રાશિમાં મંગળનું રાશિ પરિવર્તન ઘણી રાશિમાં સકારાત્મક બદલાઇ જશે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે. 

3/6
મેષ
મેષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનું ગોચર મેષ રાશિના લોકો માટે વરદાનથી ઓછું નહીં હોય. વિદ્યાર્થીઓને આ સમયે વિશેષ લાભ મળશે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી શકો છો. રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી સાથે જોડાયેલા લોકોને ઘણા સારા સમાચાર મળી શકે છે. આ સાથે વિદેશ જવાના ચાન્સ છે. વેપારમાં લાભ થશે.

4/6
ધન
ધન

તમને જણાવી દઈએ કે મંગળનો આ ચરણ ધન રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમને નફો થઈ શકે છે. જો તમે વિદેશ ભણવા જવાનું વિચારી રહ્યા છો તો તમારું સપનું સાકાર થશે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. તમને પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે.

5/6
કુંભ
કુંભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકો પર મંગળ કૃપા રહેશે. જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા અને ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય શુભ છે. કોર્ટના મામલામાં તમને સફળતા મળશે. નોકરીયાત લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. સંશોધન સાથે જોડાયેલા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે. પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

6/6
મીન
મીન

તમને જણાવી દઈએ કે મંગળના ગોચરના સાનુકૂળ પરિણામ મીન રાશિના લોકો પર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને સફળતા મળશે. તમને ઈચ્છિત નોકરીની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનની સંભાવનાઓ છે. દુશ્મનોનો નાશ થશે અને તમને વિદેશ જવાની તક મળશે.





Read More