PHOTOS

PICS: કોરોનાના ભયંકર પ્રકોપ વચ્ચે મહારાષ્ટ્રથી આવી હચમચાવી દે તેવી તસવીરો, જોઈને રૂવાડાં ઉભા થઈ જશે

તલવારોથી લેસ શીખ યુવકોએ ગુરુદ્વારાનો ગેટ તોડી નાખ્યો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. 

...
Advertisement
1/3
તલવારો લઈને ભીડ ગુરુદ્વારા બહાર નીકળી
તલવારો લઈને ભીડ ગુરુદ્વારા બહાર નીકળી

ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તલવારો  લઈને લોકોની ભીડ ગુરુદ્વારા બહાર નીકળી અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડ તોડી નાખ્યા. આ હિંસામાં અનેક વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા. 

2/3
300થી વધુ લોકોએ પોલીસ પર કર્યો હુમલો
300થી વધુ લોકોએ પોલીસ પર કર્યો હુમલો

નાંદેડ રેન્જના પોલીસ ઉપમહાનિરિક્ષક (DIG) નિસાર તંબોલીએ જણાવ્યું કે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા હોલા મહોલ્લાની મંજૂરી અપાઈ નહતી અને ગુરુદ્વારા કમિટિને પણ તે માટે સૂચિત કરાયું હતું. કમિટીએ અમને ભરોસો અપાવ્યો હતો કે તેઓ હોલા મોહલ્લાનો કાર્યક્રમ ગુરુદ્વારાની અંદર જ કરશે જો કે જ્યારે નિશાન સાહેબને સાંજે 4 વાગે દ્વાર પર લાવવામાં આવ્યાં તો અનેક લોકોએ દલીલો કરવા માંડી અને 300થી વધુ યુવાઓ દરવાજામાંથી બહાર આવી ગયા, બેરિકેડ તોડી નાખ્યા અને પોલીસકર્મીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. 

3/3
એક પોલીસ કોન્સ્ટેબલની હાલત ગંભીર
એક પોલીસ કોન્સ્ટેબલની  હાલત ગંભીર

નિસાર તંબોલીએ કહ્યું કે ચારમાંથી એક પોલીસ કોન્સ્ટેબલની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે ભીડે પોલીસના છ વાહનો ક્ષતિગ્રસ્ત કર્યા. ડીઆઈડીએ કહ્યું કે ઓછામાં ઓછા 200 લોકો વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 307, 324, 188, 269 હેઠળ મામલો દાખલ થશે. તેમણે કહ્યું કે હિંસામાં સામેલ લોકોની ધરપકડ કરાશે. 





Read More