PHOTOS

Health Tips: આ પાંચ સ્વાસ્થ્ય સમસ્યામાં ભીંડા ખાવાથી વધારે ખરાબ થાય છે તબિયત

ભીંડા એવું શાક છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. ભીંડાના વ્યંજન ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ભીંડામાં અનેક પોષક તત્વ પણ હોય છે જે શરીરને સ્વ...

Advertisement
1/6
કિડનીની સમસ્યા 
કિડનીની સમસ્યા 

જે લોકોને કિડની સંબંધી સમસ્યા હોય તેમણે ભીંડા ખાવાનું ટાળવું જોઈએ. કિડની અને ગોલ બ્લેડરમાં પથરી હોય તો ભીંડા નુકસાનકારક સાબિત થાય છે. ભીંડાના કારણે પથરીની સમસ્યા વધી શકે છે. 

2/6
બ્લોટીંગ 
બ્લોટીંગ 

ઘણા લોકોને ગેસ અને બ્લોટીંગ વારંવાર થઈ જતું હોય છે. જો તમને પણ બ્લોટીંગની સમસ્યા રહેતી હોય તો ભીંડા ખાવાનું ટાળજો. ભીંડામાં ફાઇબર વધારે હોય છે જે પેટની આવી સમસ્યાઓને વધારી શકે છે. જો ગેસ હોય અને ભીંડા ખાવ તો તબિયત ખરાબ થઈ શકે છે.   

3/6
શરદી-ઉધરસ 
શરદી-ઉધરસ 

જે લોકોને શરદી અને ઉધરસ હોય તેમણે પણ ભીંડાનું સેવન કરવું નહીં. ભીંડાની તાસીર ઠંડી હોય છે. જો શરદી અને ઉધરસમાં ભીંડા ખાવામાં આવે તકલીફ વધી પણ શકે છે. આ સિવાય જે લોકોને સાઇનસની તકલીફ હોય તેમણે પણ ભીંડા ખાવા નહીં.

4/6
હાઈ કોલેસ્ટ્રોલ 
હાઈ કોલેસ્ટ્રોલ 

જો તમને પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો ભીંડા ખાવાનું ટાળજો. કારણ કે ભીંડા એવું શાક છે જેને પાણીને બદલે વધારે તેલમાં પકાવું પડે છે જો વધારે તેલમાં પકાવેલા ભીંડા નિયમિત ખાશો તો કોલેસ્ટ્રોલની સમસ્યા વધી શકે છે. 

5/6
નબળું પાચન 
નબળું પાચન 

જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમણે પણ ભીંડા ખાવાનું ટાળવું જોઈએ. ભીંડા ખાવાથી પાચન સંબંધિત સમસ્યા વધી શકે છે. પાચન નબળું હોય અને ભીંડા ખાવામાં આવે તો ડાયરિયા પણ થઈ શકે છે.

6/6




Read More