) નો માહોલ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયા સુધી આ પર્વની ઉજવણી થાય છે. લોકો અનોખા અંદાજમાં તેને ઉજવે છે. ત્યારે અમ...
જન્માષ્ટમી (Janmashtami 2021) ના પર્વ પર મહેતા પરિવાર દ્વારા ઘરમાં જ વૃંદાવન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન કૃષ્ણના વિવિધ રૂપની ઝાંખી કરવાનો પ્રયાસ કરે છે. બાળ સ્વરૂપ હોય કે પછી રાધા અને ગોપીઓ સાથે લીલા હોય કે પછી માખણ ચોરી કરતા હોય એવા ભગવાનના અનેક રૂપના દર્શન તેમના આ વૃંદાવનમાં થઈ રહ્યાં છે.
મહેતા પરિવારે જન્માષ્ટમી પર ગોકુળના નાગરિકોની જેમ વેષ ધારણ કર્યો છે. તેમના પરિવારના સંતાનો બાળ કૃષ્ણ બને છે. તો દીકરીઓ રાધા બને છે. આમ, તેઓ જન્માષ્ટમીની ઉજવણી કરશે.
દર વર્ષે અલગ અલગ થીમ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે વૃંદાવન થીમ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જેમાં તેઓ વૃક્ષો બચાવોનો સંદેશ પણ લોકોને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.