PHOTOS

ASI સર્વેમાં સામે આવી આ વસ્તુઓ, મૂર્તિઓ અને મંદિર હોવાના પુરાવા! Photos

આવ્યા બાદ દાવો કરાયો છે કે મસ્જિદ બનાવવાાં હિન્દુ મંદિરના સ્તંભોનો જ ઉપયોગ કરાયો છે. આ બધા વચ્ચે અંદ...

Advertisement
1/6

અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ હવે મથુરા કાશીને લઈને હલચલ મચેલી છે. આ કડીમાં હવે કાશીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને ASIનો સર્વે રિપોર્ટ જાહેર થઈ ગયો છે. દાવો છે કે ભારતીય પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ હાલનું માળખુ બનાવતા પહેલા ત્યાં હિન્દુ મંદિર હતું.   

2/6

અસલમાં એએસઆઈએ પોતાના રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે જ્ઞાનવાપીમાં પહેલા હિન્દુ મંદિર હતું. જ્ઞાનવાપીના સ્તંભો પર હિન્દુ દેવી દેવતાઓના પ્રતિક ચિન્હો મળ્યા છે. જ્ઞાનવાપીના સ્તંભો પર પશુ પક્ષીઓના પણ ચિન્હો અંકિત છે. આ ઉપરાંત ASI એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પશ્ચિમી દિવાલ હિન્દુ મંદિરનો બચેલો ભાગ છે. 

3/6

એવું પણ કહેવાયું છે કે જ્ઞાનવાપીમાં જે મસ્જિદ બની છે તેને બનાવવા માટે હિન્દુ મંદિરના સ્તંભોનો જ ઉપયોગ કરાયો છે. આ બધા વચ્ચે અંદરની તસવીરો પણ સામે આવી છે. 

4/6

અત્રે જણાવવાનું કે જ્ઞાનવાપીસના સર્વે દરમિયાન ASI એ GPR ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો. GPR સર્વે મુજબ જ્ઞાનવાપીના ઉત્તરી  હોલમાં એક કૂવો હોવાનું જણાય છે. હાલના માળખાને બનાવવા માટે હિન્દુ મંદિરના થાંભલા અને પ્લાસ્ટરનો ઉપયોગ કરાયો. ASI એ પોતાના સર્વે રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખ્યું કે અહીં એક મોટું હિન્દુ મંદિર હતું.   

5/6

જ્ઞાનવાપી પરિસરમાં જે શિલાલેખ મળ્યા છે તે હિન્દુ મંદિર હોવાના સૌથી મોટા પુરાવા તરીકે જોવામાં આવી રહ્યા છે. ASI એ સમગ્ર પરિસરમાં લગભગ 32 એવા પુરાવા ભેગા કર્યા છે જેનાથી એ સાબિત થાય છે કે જ્ઞાનવાપીનું ધાર્મિક સ્વરૂપ એક હિન્દુ મંદિરનું છે. એટલે કે હિન્દુ મંદિર તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી. મસ્જિદ બનાવવામાં હિન્દુ મંદિરના અવશેષોનો જ મોટા પાયે ઉપયોગ કરાયો. 

6/6

ASI ના સર્વેનો અભ્યાસ કર્યા બાદ એ જાણવા મળે છે કે જ્ઞાનવાપીના શિલાલેખ દેવનાગરી, ગ્રંથ, તેલુગુ અને કન્નડ ભાષામાં છે. શિલાલેખ પર જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વરા નામ પણ લખેલા છે. આ ઉપરાંત શિલાલેખ પર મહામંત્રી મંડપ જેવા શબ્દ પણ લખેલા છે. જે આ કેસમાં ખુબ મહત્વપૂર્ણ છે. ASI ના સર્વે રિપોર્ટથી એ પણ સ્પષ્ટ થઈ  ચૂક્યું છે કે જ્ઞાનવાપીના હાલના માળખાની જગ્યાએ મંદિર હતું. 





Read More