strong>ઘરની દિવાલો પર ફરતા જીવજંતુ ખાવા ગરોળી ઘરમાં ઘુસી જાય છે. પરંતુ એકવાર ગરોળી ઘરમાં આવી ગઈ તો પછી તેને કાઢવી મુશ્કેલ થઈ જાય છે. ઘર...
કાળા મરીથી ગરોળીને શરીરમાં બળતરા થવા લાગે છે. તેથી ઘરમાં જ્યાં ગરોળી ફરતી હોય ત્યાં આ સ્પ્રે લગાડી દેવો. ત્યારપછી ગરોળી ક્યારેય દેખાશે નહી. ગરોળી ભગાડવાનો આ બેસ્ટ નુસખો છે.
નેફ્થલીન બોલ્સનો ઉપયોગ કપડાને ફ્રેશ રાખવા માટે કરવામાં આવે છે. પરંતુ તેની મદદથી ગરોળી પણ દુર ભાગી શકે છે. કારણ કે તેની ગંધ ગરોળી સહન કરી શકતી નથી. જે બોલ્સની ગંધથી ગરોળી આસપાસ પણ આવતી નથી.
ઈંડા ફોડ્યા પછી તેની છાલ ફેંકી દેવામાં આવે છે. પરંતુ જો ઘરમાં ગરોળી હોય તો ઈંડાની છાલ ફેંકવી નહીં. તેનો ભુક્કો કરી અને જે જગ્યાએ ગરોળી આવતી હોય ત્યા છાંટી દેવાથી ગરોળી આવતી બંધ થઈ જાય છે. આ એક કારગર ઉપાય છે.
ડુંગળી અને લસણની તીવ્ર ગંધ પણ ગરોળીને ઘરમાંથી તુરંત ભગાડે છે. ડુંગળી અને લસણના ટુકડા કરી ઘરના ખૂણામાં રાખી દેવા. તેને તમે બારીમાં પણ રાખી શકો છો. જ્યાંથી ગરોળી આવતી હોય ત્યાં ડુંગળી રાખી દેવાથી ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જાશે. એની ગંધથી જ ગરોળીઓ જોજનો દૂર ભાગી જશે.