નારિયેળ પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું ગણવામાં આવે છે. તેના ઘણા ગુણકારી ફાયદા છે.
...જે લોકોને મોટાભાગે હાઇ બ્લડ પ્રેશની સમસ્યા રહે છે, તેમને પોતાની ડાઇટમાં નારિયેળ પાણી જરૂર સામેલ કરવી જોઇએ. નારિયેળ પાણીમાં ઉપલબ્ધ વિટામીન-સી, મેગ્નેશિયમ અને પોટેશિયમના કારને વ્યક્તિનું બ્લડ પ્ર્રેશાર નોર્મલ રહે છે.
ગરમીમાં ખીલ અને દાગ ધબ્બાની સમસ્યા ખૂબ વધી જાય છે. એવામાં નારિયેળનું પાણી ખીલને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. તેનો ઉપયોગ તમે ચહેરા પર ફેસપેકની માફક કરી શકો છો. તેના ઉપયોગથી પિંપલ્સ દૂર થઇ શકે છે.
પેટ દર્દ, એસિડિટી, અલ્સર, કોલાઇટિસ, આંતરડામાં સોઝાની સ્થિતિમાં ખાલી પેટ થોડું-થોડું નારિયેળ પાણી પીવાથી ખૂબ જલદી આરામ મળે છે. ઉર્જાનો સારો સ્ત્રોત હોવાના કારણે નબળાઇ, થાક, ચક્કર આવવા જેવી સમસ્યાઓમાં તેના સેવનથી તત્કાલિક લાભ પ્રાપ્ત થાય છે.
કિડનીના રોગીઓ માટે વધુ તરલ પદાર્થના સેવન માટે કહેવામાં આવે છે જેથી યૂરિનના માર્ગે પથરી નિકળી શકે. નારિયેળનું પાણી કિડનીમાં પથરી હોવાની સમસ્યામાં ખૂબ ફાયદાકારક હોય છે. આ કિડનીમાંથી પથરીના ક્રિસ્ટલને ગળાવવામાં મદદ કરે છે.
દરરોજ નારિયેળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને સાથે જ શરીરમાં ગ્લુકોઝનું સ્તર પણ નોર્મલ રહે છે.