PHOTOS

ચગદાયેલા મૃતદેહો, લાશ ઉપર લાશો, તૂટેલા ચપ્પલ...હાથરસમાં અકસ્માતનું ભયાનક મંજર, જુઓ Photos

mpede News: યુપીના હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોત થયાની માહિતી સા...

Advertisement
1/7
એટાની હોસ્પિટલમાં પહોંચ્યા 27 મૃતદેહો
એટાની હોસ્પિટલમાં પહોંચ્યા 27 મૃતદેહો

એટાના સીએમઓ ડોક્ટર ઉમેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 27 ડેડ બોડી આવી છે. જેમાંથી 25 મહિલાઓ છે અને 2 પુરુષ છે. જ્યારે ભાગદોડમાં ઘાયલ થયેલા 15 મહિલાઓ અને બાળકોને એટા મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે.

2/7
ભોલે બાબાના સત્સંગ દરમિયાન બની ઘટના
ભોલે બાબાના સત્સંગ દરમિયાન બની ઘટના

ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાથરસ જિલ્લાના સિકંદરરાવ વિસ્તારના રતિભાનપુરમાં ભોલે બાબાનો સત્સંગ સમારોહ ચાલી રહ્યો હતો. તે દરમિયાન નાસભાગ મચી જવાથી આ દર્દનાક ઘટના બની. જેમાં અનેક લોકોના મોત થયા છે.

3/7
બહાર નિકળવાની જલ્દીમાં મચી ભાગદોડ
બહાર નિકળવાની જલ્દીમાં મચી ભાગદોડ

મળતી માહિતી પ્રમાણે રતિભાનપુરમાં ભોલે બાબાના પ્રવચન દરમિયાન કાળઝાળ ગરમીના કારણે ઘણા ભક્તો બેહોશ થઈ ગયા. ત્યારબાદ સત્સંગ સમાપન દરમિયાન લોકો ગરમીના કારણે જલ્દી જલ્દીમાં લોકો ભાગવા લાગ્યા હતા અને જોતજોતામાં ભાગદોડ મચી ગઈ હતી.  

4/7
સૌથી વધુ વૃદ્ધ મહિલાઓના મોત
સૌથી વધુ વૃદ્ધ મહિલાઓના મોત

પંડાલમાંથી જલ્દી બહાર નીકળવાની હોડમાં લોકો એક-બીજાને ધક્કા મારીને આગળ નીકળવા લાગ્યા હતા, જેના કારણે ત્યાં સ્થિતિ કથળી હતી અને ભાગદોડ મચી ગઈ. જેના કારણે ઘણા ભક્ત ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ નીચે પડી ગઈ હતી અને દબાઈ ગઈ હતી. શ્વાસ રૂંઘાવવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

5/7
ઘાયલોને હોસ્પિટલોમાં કરાવ્યા ભરતી
ઘાયલોને હોસ્પિટલોમાં કરાવ્યા ભરતી

ઘટનાની સૂચના મળતા જ હાથરસ પોલીસ પ્રશાસન તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ત્યારબાદ ઘાયલ લોકોને આસપાસની સરકારી હોસ્પિટલોમાં ભરતી કરાવામાં આવ્યા. ઘટના બાદ ત્યાંનું મંજર દર્દનાક હતું. ચારેબાજુ લોકોની લાશો પડી હતી. ચંપલો અને બૂટના ઢગલા જોવા મળ્યા હતા.

6/7
સીએમ યોગીએ લીધી આ ઘટનાની નોંધ
સીએમ યોગીએ લીધી આ ઘટનાની નોંધ

સીએમ યોગી આદિત્યનાથે હાથરસ ભાગદોડ ઘટનાની નોંધ લેતા મૃતકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી. તેમણે અધિકારીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને ઘાયલ લોકોની સારવારની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ કર્યો છે.

7/7
ઉચ્ચસ્તરીય સમિતિની રચનાની જાહેરાત
ઉચ્ચસ્તરીય સમિતિની રચનાની જાહેરાત

સીએમ યોગીએ હાથરસની ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચવાની જાહેરાત કરી છે. આ કમિટીમાં ADG આગરા અને કમિશ્નર અલીગઢ સામેલ છે. બન્ને અધિકારી આ ઘટનાના કારણોની તપાસ કરીને સરકારને રિપોર્ટ સોંપશે ત્યારબાદ આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય.