PHOTOS

Ginger Benefits: શરદી-ઉધરસથી જ નહીં આ 5 ગંભીર બીમારીથી પણ રાહત અપાવે છે આદુ

ong>શિયાળામાં જ્યારે પણ શરદી ઉધરસ થઈ જાય તો લોકો તેમને આદુવાળી ચા, આદુનો ઉકાળો કે આદુનો રસ પીવાની સલાહ આપે છે. આયુર્વેદમાં આદુનો દવાની ...

Advertisement
1/6
ઈમ્યુનિટી
ઈમ્યુનિટી

આદુ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના કારણે ઉધરસ, શરદી, ગળામાં દુખાવો જેવી તકલીફથી તુરંત રાહત મળે છે.

2/6
પાચન સુધરે છે
પાચન સુધરે છે

આદુ માં જીંજરોલ નામનું કમ્પાઉન્ડ હોય છે જે પેટ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ગેસ, એસીડીટી, પેટ ફુલવું અને બ્લોટીંગ જેવી સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો આદુનું સેવન કરવું જોઈએ. 

3/6
બ્લડ પ્રેશર
બ્લડ પ્રેશર

આદુમાં પર્યાપ્ત માત્રામાં પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે બોડીના બ્લડ પ્રેશર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ પોતાની ડાયટમાં આદુને સામેલ કરવું જોઈએ.

4/6
વેઈટ લોસ
વેઈટ લોસ

આદુમાં એન્ટી ઇન્ફ્લિમેન્ટરી, એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે વજન ઓછું કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આદુનું સેવન કરવાથી કેલરી ઝડપથી બળે છે. જો તમે ચરબી ઉતારવા માંગો છો તો આદુનું સેવન શરૂ કરી દો.

5/6
હેલ્ધી હાર્ટ
હેલ્ધી હાર્ટ

આદુમાં વિટામિન, મિનરલ્સ અને એમિનો એસિડ હોય છે જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સ્વસ્થ રાખે છે. આદુ ખાવાથી હાર્ટ અટેક, હાર્ટ સ્ટ્રોકનું જોખમ ઘટે છે. આદુ હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.  

6/6




Read More