PHOTOS

Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે તમારા ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ, 10 મિનિટમાં દેખાશે અસર

ects: વરસાદ પડે કે તુરંત જ પાંખવાળા કીડા-મકોડાના ઝુંડ આવી પડે છે. સાંજે લાઈટ શરૂ થાય કે લાઈટની આસપાસ મોટી સંખ્યામાં આવા જીવજંત...

Advertisement
1/5
હળદર 
હળદર 

વરસાદ પછી નીકળતા જીવજંતુઓને દૂર કરવા હોય તો હળદરનો ઉપયોગ કરી શકાય છે. આવા જીવજંતુઓ જ્યાં વધારે એકઠા થતા હોય ત્યાં મીઠું અને હળદર સમાન માત્રામાં મિક્સ કરી છાંટી દેવું. થોડી જ મિનિટોમાં જીવજંતુઓ ગાયબ થઈ જશે. 

2/5
લવિંગ 
લવિંગ 

વરસાદ પછી ઘરમાં નીકળતા નાના નાના જીવજંતુઓને ભગાડવા માટે લવિંગનો પાવડર ઉપયોગી સાબિત થાય છે. લવિંગ નો પાવડર બનાવી પાણીમાં મિક્સ કરી તેને સ્પ્રે બોટલમાં ભરીને લાઈટની આસપાસ છાંટી દેવું. આ પાણી છાંટી દેશો એટલે જીવજંતુઓ તુરંત મરવા લાગશે.. 

3/5
વિનેગર 
વિનેગર 

વરસાદમાં જો ઘરને જીવજંતુઓથી મુક્ત રાખવું હોય તો વિનેગર સૌથી વધારે ઉપયોગી છે. ઘરની ભેજવાળી જગ્યાઓ અને લાઈટની આસપાસ પાણીમાં વિનેગર મિક્સ કરીને પોતું કરી દેવું. જમીન પર પોતા કરવાના પાણીમાં પણ વિનેગર મિક્સ કરી દેવું જોઈએ તેનાથી જીવજંતુઓ આવતા નથી. 

4/5
લીમડાનું તેલ
લીમડાનું તેલ

વરસાદી વાતાવરણમાં જો રસોડામાં વંદા વધારે નીકળવામાં લાગ્યા હોય તો એક વાટકીમાં બે ચમચી હળદર, એક ચમચી લીમડાનું તેલ અને પાંચ ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને રૂની મદદથી એ બધી જ જગ્યાઓમાં લગાડો જ્યાં વંદા ફરતા હોય. બે ત્રણ દિવસ આ મિશ્રણ લગાડશો એટલે જ રસોડામાં એક પણ વાંદો નહીં ફરકે.

5/5