rong> મિક્સ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયના રસનું સેવન રામબાણ માનવામાં આવે છે. ગિલોય એક અદ્ભુત આયુર્વેદિક દવા છે. ...
ગિલોયમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે જેના કારણે આપણી ત્વચા ટાઈટ અને ગ્લોઈંગ રહે છે.
ગિલોયના સેવનથી શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા વધે છે, જેનાથી શરીરમાં શુગર લેવલ ઓછું થાય છે. તેનાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે અને વ્યક્તિ સ્વસ્થ રહે છે
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે. તેઓએ ગિલોયનું સેવન કરવું જોઈએ. તેમાં ફોલેટ, આયરન અને વિટામિન B12 જેવા તત્વો હોય છે, જે એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે.
દ્રષ્ટિ સુધારવા માટે દરરોજ ગિલોયના રસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ રસને એક મહિના સુધી પીવાથી આંખોની દ્રષ્ટિ તેજ બને છે.
ઘણીવાર ઋતુ પરિવર્તનના કારણે તાવ આવી જતો હોય છે. આવી સ્થિતિમાં રોજ ગિલોયનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તાવ ઉતરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)