PHOTOS

Ketu Nakshatra Gochar: છાયા ગ્રહ કેતુ આ 3 રાશિ પર વરસી પડશે, આવકના નવા સ્ત્રોત ખુલશે, પદ-પ્રતિષ્ઠા વધશે

ો તે ગ્રહનો પાવર અનેક ગણો વધે છે. પરંતુ એ જ કેતુ જ્યારે અશુભ ફળ આપવા લાગે છે ત્યારે સમસ્યાઓ સર્જાય છે. આર્થિક, કૌટુંબિક, સ્વાસ્થ્ય પર ખ...

Advertisement
1/4

રાહુ ઉપરાંત કેતુ પણ પાપી ગ્રહ કહેવાય છે. કેતુના રાશિ પરિવર્તન કરવાથી દરેક રાશિના જાતકો પર કોઈ ને કોઈ પ્રકારે અસર પડે છે. કેતુ એક છાયા ગ્રહ છે. કેતુ કોઈ ગ્રહ સાથે જોડાઈ જાય તો તે ગ્રહનો પાવર અનેક ગણો વધે છે. પરંતુ એ જ કેતુ જ્યારે અશુભ ફળ આપવા લાગે છે ત્યારે સમસ્યાઓ સર્જાય છે. આર્થિક, કૌટુંબિક, સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. કેતુ હાલ કન્યા રાશિમાં છે. જ્યારે બહુ જલદી તે નક્ષત્ર પરિવર્તન કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેતુ 4 માર્ચના રોજ સવારે 8.52 કલાકે ચંદ્રમાના નક્ષત્ર હસ્તમાં પ્રવેશ કરશે. જ્યાં તે 10 નવેમ્બર 2024 સુધી રહેશે. કેતુના હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓએ ખુબ સંભાળીને રહેવાની જરૂર છે, જ્યારે કેટલીક રાશિઓને ખુબ જ લાભ થશે. જાણો કોણ છે તે લકી રાશિઓ...

2/4
મેષ રાશિ
મેષ રાશિ

મેષ રાશિમાં કેતુ છઠ્ઠા ભાવમાં ગોચર કરે છે. આવામાં આ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશથી કેતુનો શુભ  પ્રભાવ પડશે. આવામાં મેષ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. આ સાથે જ કરજમાંથી છૂટકારો મળશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પાર પડશે. મોસાળથી ખુશખબર મળી શખએ છે. કાનૂની મામલાઓમાં સફળતા મળી શકે છે. શત્રુઓ પર વિજય મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ સાથે જ નોકરીમાં આવી રહેલી મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળશે. નવી તકો મળશે. શિક્ષણના ક્ષેત્રે અપાર સફળતાની સાથે ધનલાભ પણ થઈ શકે છે. 

3/4
સિંહ રાશિ
સિંહ રાશિ

સિંહ રાશિમાં કેતુ ધનભાવ એટલેકે બીજા ભાવમાં પ્રવેશ કરે છે. ધનભાવમાં કેતુનું હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. મહેનતનું મીઠું ફળ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. વાદ વિવાદનો અંત આવશે. પરિવાર સાથે સારો સમય વિતશે. પરિવાર વચ્ચે ચાલી રહેલી નારાજગી હવે સમાપ્ત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. 30 એપ્રિલ બાદ કેતુ તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. 

4/4
ધનુ રાશિ
ધનુ રાશિ

હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરીને કેતુ તમારી રાશિના  દશમ ભાવમાં પ્રવેશ કરી રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. 30 એપ્રિલના રોજ ગુરુના રાશિ પરિવર્તન બાદ  કેતુ તમારી રાશિના જાતકોને વિશેષ લાભ આપી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કરિયરમાં ખુબ લાભ મળશે. કાર્યક્ષેત્રમાં અપાર સફળતા સાથે પદોન્નતિ મળી શકે છે. તમારું મન કામમાં લાગશે. કામની પ્રશંસા થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે. સરકારી અધિકારીઓનો ખુબ સહયોગ મળશે. બિઝનેસમાં અપાર સફળતા સાથે ધનલાભના આસાર છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More