PHOTOS

50 વર્ષ બાદ શનિની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ ત્રણ જાતકોની ધનલાભ સાથે થશે પ્રગતિ

કરે છે. ગ્રહોના ગોચરથી શુભ-અશુભ યોગનું નિર્માણ થાય છે. ગ્રહોના ગોચર અને યોગની અસર દરેક જાતકો પર પડે છે. હવે શન...

Advertisement
1/5
ત્રિગ્રહી યોગ
ત્રિગ્રહી યોગ

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય રાશિ પરિવર્તન કરી ત્રિગ્રહી અને ચતુગ્રહી યોગનું નિર્માણ કરે છે. તમને જણાવી દઈએ કે કર્મફળ દાતા શનિ દેવ કુંભ રાશિમાં સંચરણ કરી રહ્યાં છે અને માર્ચમાં વૈભવ અને ધનના દાતા શુક્ર અને ગ્રહોના રાજકુમાર બુધ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલાક જાતકોને લાભ મળશે. આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે.  

2/5
કુંભ રાશિ
 કુંભ રાશિ

તમારા માટે ત્રિગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બનશે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે આ સમયમાં તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. તો તમને માન-સન્માન અને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વેપાર કરી રહેલા જાતકોને સારો લાભ થશે. આ સાથે તમે કોઈ મોટી ડીલ સાઇન કરી શકો છો. આ પરીણિત લોકો માટે સારો રહેશે. જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. 

3/5
વૃષભ રાશિ
 વૃષભ રાશિ

ત્રિગ્રહી યોગ વૃષભ રાશિના જાતકો માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે વેપારી વર્ગને ધનલાભ થઈ શકે છે. તો નોકરી કરનાર જાતકોનું પ્રમોશન થઈ શકે છે. સાથે ઈચ્છિત જગ્યાએ બદલી થઈ શકે છે. આ સમયમાં તમને પિતાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થશે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ થઈ શકે છે.

4/5
મિથુન રાશિ
 મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ લાભદાયક રહી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના નવમાં ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે અને તમારા માન-સન્માનમાં વધારો થશે. તમે કામ-કારોબારના સંબંધમાં વિદેશ યાત્રા પણ કરી શકો છો. આ સિવાય કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તમારૂ લગ્ન જીવન સારૂ રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેવાનો છે.

5/5




Read More