ked : ઉત્તરાખંડમાં ગુરુવાર રાત્રે અતિભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. જેના કારણે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો છે. જાણવા મળ...
બદ્રીનાથ હાઇવેની બંને તરફ અંદાજો 10,000 થી વધુ તીર્થયાત્રી ફસાઈ ગયા છે. 100 મીટરનો હાઇવે બ્લોક થઈ જતા હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા છે. 10 કિલોમીટર સુધી નહીં વાહનોની લાઈનો બદ્રીનાથ હાઇવે પર બંને તરફ જોવા મળી રહી છે.
મહત્વનું છે કે ગુરૂવાર સવારથી જ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. ગુરુવારે 9 50 મિનિટ પર અચાનક જ છીનકામાં પર્વત ઉપર વિસ્ફોટ નો અવાજ આવ્યો અને ઉપરથી પથ્થરો નીચે પડવા લાગ્યા. જેના કારણે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા વાહનોની અવરજવરને અટકાવી દેવામાં આવી. થોડી જ વારમાં 100 મીટરના રસ્તા ઉપર ભૂસ્ખલન થઈ જતા બદ્રીનાથ હાઈવે પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાઈ ગયો. આ ટ્રાફિક જામની તસ્વીરો સામે આવી છે.
ભૂસ્ખલનના કારણે બ્લોક થયેલા હાઇવે ને ક્લિયર કરવા માટે સવારથી જ જેસીબી મશીન કામે લાગી ગયા છે. 100 મીટર નો રસ્તો ભૂસ્ખલનના કારણે ડેમેજ થયો છે જેમાંથી પથ્થરો હટાવવાનું કામ ત્રણ જેસીબી દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાઇવે ક્લિયર છે આની સાથે જ વાહનની અવરજવર સાવધાની પૂર્વક શરૂ કરાવવામાં આવશે.