થતી રિક્ષાઓ આજે ડિટેઈન કરાઈ હતી. લોકડાઉન 4.0માં કેટલીક શરતી છૂટછાટ અપાઈ છે. ત્યારે અમદાવાદમાં હાલ રીક્ષાને છૂટછાટ આપવામાં આવીનથી. ...
પોલીસે આરટીઓ સર્કલ ઓટોરીક્ષા ડિટેઈન કરવાની મોટી કાર્યવાહી કરી હતી
રીક્ષાને કોઈ છૂટછાટ લોકડાઉન 4માં આપવામાં આવી નથી. જોકે, લોકડાઉનને કારણે બે મહિનાથી રીક્ષાચાલકોની આવક પર બ્રેક લાગી ગઈ છે. બે મહિનાથી રાજ્યભરમાં એક પણ રીક્ષા રસ્તા પર જતા જોવા મળી ન હતી.
કોઈ આવક ન થતા રીક્ષાચાલકોની હાલત કફોડી બની છે. રાજ્યમાં અનેક શહેરોમાં રીક્ષાને છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને રીક્ષાચાલકો રીક્ષા ચલાવી શકે છે.