શરદી કે ઉધરસ થાય તો પહેલા તો તમને કદાચ છીંક જ આવતી હશે. એ જ રીતે ધૂળ, માટીના સંપર્કમાં આવતા એલર્જીની સમસ્યા હોય તેમને છીંકાછીંક થતી હોય છે. કેટલાક લોકો એવા પણ હોય કે કોઈ ચીજની એલર્જી હોય તો પણ છીંક ખાતા હોય છે. કેટલાક એવા પણ જોવા મળશે કે દિવસમાં એટલી બધી છીંક ખાતા હોય કે પરેશાન થઈ જાય. આવામાં લોકો ઈચ્છતા હોય કે આ છીંક અટકી જાય. તેના માટે અનેક નુસ્ખા પણ અજમાવવામાં આવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ છીંક ખાતા પોતાની જાતને રોકવી એ કેટલું નુકસાનકારક બની શકે છે? ત્યારે એ જાણવું ખાસ જરૂરી છે.
છીંક રોકવાથી શું થાય?
હકીકતમાં છીંક એ એક કુદરતી પ્રક્રિયા છે અને જ્યારે તમે છીંકને રોકો છો તો તેનાથી તમારા શરીરમાં અનેક ગણું દબાણ વધે છે. જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તેનાથી શરીરમાં સર્જાતા દબાણથી 20 ગણું અધિક પ્રેશર છીંકને રોકતી વખતે પેદા થાય છે. આથી છીંક રોકવાની ના પાડવામાં આવે છે.
સ્વાસ્થ્ય માટે જરૂરી
એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ છીંકને રોકવી એ સ્વાસ્થ્યની રીતે સારી વાત નથી. છીંક આવવાની પ્રક્રિયા તમારા બોડીને સુરક્ષિત રાખે છે. જ્યારે છીંક આવે ત્યારે તેના દ્વારા નાકની સાથે સાથે શરીરની પણ સફાઈ થઈ જાય છે. આવામાં છીંકને રોકવી એ હેલ્થ માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે. આથી છીંક રોકવાના પ્રયત્ન કરવા જોઈએ નહીં.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. તેને ડોક્ટરની સલાહ તરીકે માની લેવું જોઈએ નહીં. કોઈ પણ બીમારી કે વિશિષ્ટ હેલ્થ કંડીશન માટે સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જરૂરી છે. ડોક્ટર/એક્સપર્ટની સલાહના આધારે જ ઈલાજની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ હેલ્થસાઈટ ડોટ કોમ હિન્દી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે