Home> LifeStyle
Advertisement
Prev
Next

સમયની સાથે પિતા-પુત્રમાં કેમ આવી જાય છે અંતર, સદગુરુએ બતાવ્યું આનું સૌથી મોટું કારણ

Father Son relationship: એક પિતા જ્યારે પુત્રના જન્મ પછી ખુશીથી પોતાની જાતને કાબૂમાં રાખી શકતા નથી, તો પછી બંને વચ્ચેનો સંબંધ સમય સાથે મજબૂત કેમ નથી રહેતો? જો તમે પણ આ સવાલનો જવાબ નથી જાણતા તો આ લેખ ફક્ત તમારા માટે જ છે.

સમયની સાથે પિતા-પુત્રમાં કેમ આવી જાય છે અંતર, સદગુરુએ બતાવ્યું આનું સૌથી મોટું કારણ

Father Son relationship: પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ હંમેશાં મતભેદોથી ભરેલા હોય છે. ઉંમરની સાથે આ સંબંધમાં એક એવો તબક્કો આવે છે જ્યાં બંને સામસામે બેસીને કોઈપણ મુદ્દા પર સાથે મળીને નિર્ણય કરી શકતા નથી. તેમને વાત કરવા માટે હંમેશા ત્રીજા વ્યક્તિની જરૂર હોય છે. પણ એવું કેમ બને છે કે જે દીકરો નાનપણમાં પિતાની નાની નાની ઈચ્છાઓને પ્રાથમિકતા આપે છે, તે મોટો થતાં બંને વચ્ચેના સંબંધો કેમ તંગ બની જાય છે?

26 ફેબ્રુથી 15 માર્ચ સુધી ગુજરાતમાં કંઈક મોટું થશે! અ'વાદ માટે આ શું બોલ્યા અંબાલાલ?

તેનો જવાબ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુના ઈન્ટરવ્યુ પરથી સમજી શકો છો, જ્યાં ફિલ્મ નિર્માતા કરણ જોહરે તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે પિતા-પુત્રના સંબંધોમાં તણાવ અને એક પ્રકારનું અંતર કેમ આવે છે.

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા: PM Modi નો ભવ્ય રોડ-શો, એક ઝલક મેળવવા ઉમટી જનમેદની

સદગુરુએ આપ્યો આ જવાબ 
કરણ જોહરના સવાલનો જવાબ આપતા સદગુરુએ કહ્યું કે પિતા-પુત્રના સંબંધોમાં તણાવ અને અંતરનું કારણ એ છે કે તેમનું પુરુષ હોવું છે. સરળ ભાષામાં તમે તેને સ્વામિત્વની લડાઈ પણ કહી શકો.

4 માસૂમ બાળકોના મોતથી સુરત થથર્યું! એવું તો શું થયું કે ફૂલ જેવા બાળકોની જિંદગી હણાઈ

આ ઉંમરથી વધે છે અંતર 
પિતા અને પુત્રના સંબંધો પર પ્રકાશ ફેંકતા સદગુરુ કહે છે કે બંને વચ્ચે 9-10 વર્ષની ઉંમર સુધી સારો સંબંધ છે. પુત્ર માટે તેના પિતા ભગવાન સમાન અને સુપર હીરો જેવો હોય છે. પરંતુ બાળક 15-16 વર્ષનું થાય છે, તેના મગજમાં પિતાની છબી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ ઉંમરે લોકો પોતાને શ્રેષ્ઠ અનુભવવા માંગે છે, પરંતુ પિતા સાથે રહેતા પુત્ર આ કરી શકતો નથી, જેના કારણે બંને વચ્ચે અંતર આવી જાય છે.

રાંચીમાં અશ્વિને રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલેના રેકોર્ડની બરાબરી કરી

આ કારણથી પિતા-પુત્રની બનતી નથી!
સદગુરુ સમજાવે છે કે પિતા અને પુત્ર વચ્ચે ન મળવાનું કારણ તેમનો સંબંધ નથી, પરંતુ અહંકારની લડાઈ છે જે બે પુરુષો વચ્ચે ચાલે છે. આ બંને લોકો એક સ્થાન અને એક મહિલાને વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે એક પત્ની અને માતા છે.

બોગસ પાસપોર્ટથી વિદેશ કમાવવા ગયેલા ગુજરાતી દંપતીની ખુલી ગઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More