Home> LifeStyle
Advertisement
Prev
Next

Weight Loss: શરીરની ચરબીને બરફની જેમ ઓગાળે છે આ આયુર્વેદિક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

Ayurvedic Herb Benefits: ગુડમાર બહુઉપયોગી ઔષધી છે જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. ગુડમારના પાનમાં એવા ગુણ હોય છે જે શરીરની વધારાની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ભૂખને પણ કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકળી જાય છે.  

Weight Loss: શરીરની ચરબીને બરફની જેમ ઓગાળે છે આ આયુર્વેદિક ઔષધી, જાણો ઉપયોગ કરવાની રીત

Ayurvedic Herb Benefits: વધારે વજન શરીરના દેખાવને ખરાબ કરવાની સાથે બીમારીઓનું કારણ પણ બને છે.  ઘણી શારીરિક સમસ્યાઓ એવી છે જેનું મૂળ કારણ સ્થૂળતા હોય છે. સ્થૂળતાના કારણે હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. એટલા માટે જ વધેલું વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ રીતો અપનાવે છે. કેટલાક લોકો ડાયેટિંગ કરે છે તો કેટલાક એક્સરસાઇઝ કરે છે. પરંતુ ઘણા લોકોનું વજન એટલું જીદ્દી હોય છે કે આ બંને કામ કર્યા પછી પણ વજન ઘટતું નથી. જો તમારી સાથે પણ આવું જ થતું હોય તો તમે વજન ઘટાડવા માટે આયુર્વેદિક હર્બ્સનો ઉપયોગ કરી શકો છો. આ આયુર્વેદિક હર્બ છે ગુડમાર. ગુડમાર એક એવી જડીબુટ્ટી છે જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. તો ચાલો ફટાફટ જાણી લો કે વજન ઘટાડવા માટે ગુડમારનો ઉપયોગ કેવી રીતે કરવો.

આ પણ વાંચો:

Honey Purity: તમે ઘરમાં જે મધ વાપરો છો તે શુદ્ધ છે કે નહીં ? આ સરળ રીતે ચકાસો

કપાળ પર થયેલા ટેનિંગને દુર કરવા લગાવો આ વસ્તુનો રસ, 1 રાતમાં ટેનિંગ થશે દુર

વાળ પણ થઈ ગયા છે ઝાડુ જેવા? ટ્રાય કરો આ માસ્ક, રબ્બરમાંથી લપસી જાય એવા થઈ જશે વાળ

ગુડમાર બહુઉપયોગી ઔષધી છે જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. ગુડમારના પાનમાં એવા ગુણ હોય છે જે શરીરની વધારાની ચરબીને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ભૂખને પણ કંટ્રોલ કરે છે. તેનું સેવન કરવાથી પાચન શક્તિ વધે છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર નીકળી જાય છે.  

ગુડમારનો ઉપયોગ કેવી રીતે કરવો ?

- તમે ગુડમારના પાનને સાફ કરી તેને રસ કાઢીને દરરોજ સવારે ખાલી પેટ પી શકો છો. તેનાથી ઝડપથી વજન ઘટે છે.
- ગુડમારના પાનને પીસીને પેસ્ટ બનાવીને પાણીમાં મિક્સ કરીને પણ પી શકાય છે.
- ગુડમારના પાનને સાફ કરી અને સૂકવીને તેનો ચા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. દરરોજ 1 થી 2 કપ ગુડમારની ચા પીવાથી ફાયદો ઝડપથી થાય છે.
- ગુડમારના પાનના પાઉડરને દહીં કે પાણી સાથે પણ લઈ શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More