Coconut Water For Weight Loss: વધતું વજન આપણામાંથી ઘણાને પરેશાન કરે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ સારું નથી, કારણ કે તે હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાઈ બીપી અને હાર્ટ એટેકનું જોખમ પેદા કરી શકે છે. જ્યારે પેટ અને કમરની આસપાસ ચરબી જમા થવા લાગે છે, ત્યારે શરીરનો એકંદર આકાર બગડે છે, જેના કારણે વ્યક્તિને ઘણી વખત શરમ અને લો કોન્ફિડન્સનો સામનો કરવો પડે છે. આપણામાંથી મોટા ભાગના લોકો બોલિવૂડ સેલિબ્રિટીની જેમ ફિટનેસ હાંસલ કરવા માંગે છે.
વજન ઘટાડવા માટે પીવો આ નેચરલ ડ્રિન્ક
નાળિયેર પાણીમાં પોષક તત્વો મળી આવે છે
જો આપણે નારિયેળ પાણી પીવાની આદત બનાવીએ તો તે શરીરને વિટામિન, મિનરલ્સ અને પ્રાકૃતિક એન્ઝાઇમ્સ પ્રદાન કરે છે, જેના કારણે શરીર હાઇડ્રેટેડ અને તાજગી અનુભવશે.
નાળિયેર પાણી કેવી રીતે વજન ઘટાડે છે?
નાળિયેર પાણીમાં નેચરલ શુગર અને કેલરી હોય છે, તેમાં કાર્બોહાઇડ્રેટ્સ પણ જોવા મળે છે જે મેટાબોલિઝ્મને બુસ્ટ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. જો તમે તેને એકવાર પીશો તો તમે લાંબા સમય સુધી પેટ ભરેલું રહેશે અને તમે વધુ ખોરાક ખાવાથી બચી શકો છો. આવી સ્થિતિમાં ધીમે-ધીમે તમારું વજન ઘટતું જાય છે. ફ્રૂટ જ્યુસ કરતાં નારિયેળ પાણી વધુ ફાયદાકારક છે કારણ કે તેમાં વધુ મિનરલ્સ હોય છે.
નારિયેળ પાણી ક્યારે પીવું જોઈએ?
જો કે, તમે જ્યારે પણ નારિયેળ પાણી પીશો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે, પરંતુ બેસ્ટ છે કે તમે સવારે ખાલી પેટ આ કુદરતી પીણું પીઓ, તો તેની અસર દિવસભર જોવા મળશે. તમે તરોતાજા અને એનર્જેટિક ફીલ કરશો..
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
Breaking News : અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓને શિફ્ટ કરાયા
રાશિફળ 30 જુલાઈ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ધન, સંપત્તિ, કિર્તીમાં થશે વધારો
ઓગસ્ટ મહિનામાં એક પછી એક સિસ્ટમ સક્રીય થશે: કઈ તારીખ સુધી મેઘો ગુજરાતમાં કરશે તાંડવ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે