Home> LifeStyle
Advertisement
Prev
Next

વાળ ખરતાં હોય વધારે તો ટાલ પડી જાય તે પહેલા કરો આ કામ, ખરતાં વાળ થશે બંધ

Home Remedies For Hair Loss: ઘણા લોકો વાળ જ્યારે ખરતા હોય તો તે વાતને ગંભીરતાથી લેતા નથી અને તેને અટકાવવાના ઉપાય પણ કરતા નથી. જેના કારણે આગળ જતા માથામાં ટાલ પડી જાય છે અને પછી ટાલ પર વાળ ઉગાડવાના ઉપાયો શરૂ કરવા પડે છે.

વાળ ખરતાં હોય વધારે તો ટાલ પડી જાય તે પહેલા કરો આ કામ, ખરતાં વાળ થશે બંધ

Home Remedies For Hair Loss: નાની ઉંમરમાં જો વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો તેના કારણે માથામાં ટાલ પણ પડી શકે છે. માથામાં જો ટાલ પડી જાય તો 30 40 વર્ષના યુવાન પણ વૃદ્ધ લાગે છે. ઘણા લોકો વાળ જ્યારે ખરતા હોય તો તે વાતને ગંભીરતાથી લેતા નથી અને તેને અટકાવવાના ઉપાય પણ કરતા નથી. જેના કારણે આગળ જતા માથામાં ટાલ પડી જાય છે અને પછી ટાલ પર વાળ ઉગાડવાના ઉપાયો શરૂ કરવા પડે છે. આવું ન થાય તે માટે જરૂરી છે કે જો તમારા વાળ ખરતા હોય તો તેને અટકાવવા માટેના ઉપાયો શરૂ કરો. ખરતા વાળનું મુખ્ય કારણ ખોરાક અને ખોટી લાઈફસ્ટાઈલ હોય છે. આ બે વસ્તુઓમાં ફેરફાર કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ શકે છે. ઘણી વખત વાળ ખરવાનું કારણ કોઈ બીમારી કે પછી શારીરિક માનસિક સ્ટ્રેસ પણ હોય છે. ઘણી દવાના કારણે પણ વાળ ખરવા લાગે છે. કોઈપણ કારણસર જો વાળ ખરતા હોય તો તેને આ ત્રણ ઉપાય કરીને અટકાવી શકાય છે. 

આ પણ વાંચો: 

વર્ષો સુધી ચોખામાં નહીં પડે જંતુઓ, સંગ્રહ કરવાની આ સરસ રીત અજમાવશો તો રહેશો ફાયદામાં

ઘરના દરેક ખૂણામાં દેખાય છે ખરેલા વાળ ? તો આ ફળનો કરો ઉપયોગ, બંધ થશે વાળનું ખરવું

માસિકની તારીખ દવા લીધા વિના આગળ વધારવી હોય તો કામ લાગશે આ દેશી નુસખા
 

આમળા અને લીમડાનો ઉપાય

ખરતા વાળને અટકાવવા માટે આમળા અને લીમડાની મદદ લઈ શકાય છે. તેનો આ રીતે ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકે છે અને નવા વાળનો ગ્રોથ ઝડપથી થાય છે. તેના માટે આમળાના પાવડર અને લીમડાના પાનને પાણીમાં બરાબર રીતે ઉકાળો. ત્યાર પછી તેના વડે અઠવાડિયામાં બે વખત માથું ધોવાનું રાખો. આમ કરવાથી ખરતા વાળ અટકી જશે.

મુલેઠીનો કરો ઉપયોગ

ટાલિયાપણું દૂર કરવા માટે તમે મૂલ્યઠી ની મદદ લઈ શકો છો. તેના માટે મૂલેઠીમાં દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને રાતે સુતા પહેલા માથા પર લગાડો અને સવારે શેમ્પુ કરી લેવું. 

ડુંગળીનો ઉપયોગ

તેના માટે ડુંગળીની છાલ ઉતારી વચ્ચેથી બે કટકા કરો. હવે ડુંગળીના ટુકડાને જે જગ્યા પર ટાલ પડી હોય તે જગ્યાએ પાંચ થી સાત મિનિટ સુધી ઘસો અને મસાજ કરો. દિવસમાં બે વખત આ રીતે ડુંગળીથી મસાજ કરવાથી ખરતા વાળ અટકે છે અને ખરેલા વાળ ની જગ્યાએ નવા વાળ આવે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More