Home> LifeStyle
Advertisement
Prev
Next

માત્ર 10 રૂપિયા ખર્ચી અને રસોડામાં ફરતાં વંદાથી મેળવો કાયમી મુક્તિ, આ 4 Tips કરશે જાદુ જેવું કામ

Cockroach Control: વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે. તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ.

માત્ર 10 રૂપિયા ખર્ચી અને રસોડામાં ફરતાં વંદાથી મેળવો કાયમી મુક્તિ, આ 4  Tips કરશે જાદુ જેવું કામ

Cockroach Control: કદાચ જ એવું કોઈ ઘર હોય જ્યાં વંદાની સમસ્યા ન હોય. જેથી વંદા એવા હોય છે જે રસોડા સહિત આખા ઘરમાં ફરતા રહે છે અને સરળતાથી પીછો છોડતા નથી. રસોડામાં રાખેલી વસ્તુઓની પણ વંદા ખરાબ કરી નાખે છે. વંદાને જોતા જ ચીતરી ચડી જાય છે. તેમાં પણ રસોડામાં ફરતા રહે તો સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યાઓ કરી શકે છે. તેથી જ્યારે ઘરમાં વંદાનો ઉપદ્રવ વધવા લાગે તો સૌથી પહેલા તેનાથી મુક્તિ મેળવવી જોઈએ. તો આજે તમને વંદાને ઘરમાંથી ભગાડવાના સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી વંદા તમારું ઘર છોડીને ભાગી જશે. 

આ પણ વાંચો: 

30 દિવસ ફોલો કરો Sugar Free Diet, કોઈપણ પ્રકારની મહેનત વિના આ 5 સમસ્યા થશે દુર

શરીરમાં કફ અને વાત દોષને સંતુલિત કરે છે ફુદીનો, આ રીતે કરો તેનો ઉપયોગ

તમાલપત્રનો કરો ઉપયોગ

રસોડામાંથી વંદાને ભગાડવા હોય તો બેથી ત્રણ તમાલપત્ર લઈને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરને એવી જગ્યા પર મૂકવો જ્યાંથી વાંદા નીકળતા હોય. તમાલ પત્રની તીવ્ર સુગંધ વંદા સહન કરી શકતા નથી અને ત્યાં આવતા નથી.

કેરોસીન

ઘરમાંથી વંદાને ભગાડવા હોય તો કેરોસીન નો ઉપયોગ પણ કરી શકાય છે. કેરોસીનને એક સ્પ્રે ની બોટલમાં ભરીને એ બધી જ જગ્યા ઉપર સ્પ્રે કરી દો જ્યાં વાંદા આવતા હોય. કેરોસીન છાંટ્યા પછી વંદા ત્યાંથી છુંમંતર થઇ જશે. 

આ પણ વાંચો: 

એક ચપટી મીઠું... પણ જો ખાધું ઉપરથી તો મર્યા સમજજો, શરીરમાં થઈ શકે છે આ ભયંકર સમસ્યા

માત્ર 2 રૂપિયાનો થશે ખર્ચ અને શરીરમાંથી ઓગળીને નીકળી જશે Bad Cholesterol

લવિંગથી ભાગશે વંદા

તમે વંદાને ભગાડવા માટે લવિંગ નો ઉપયોગ પણ કરી શકો છો. તેના માટે 10 લવિંગ લઈને તેનો પાવડર કરી લીમડાના તેલમાં પલાળી દો. હવે આ તેલને એ બધી જ જગ્યાઓમાં છાંટી દો જ્યાં વાંદા નીકળતા હોય. લીમડાનું તેલ અને લવિંગની સુગંધ પણ વાંદા સહન કરી શકતા નથી અને તે ભાગી જાય છે. 

બેકિંગ સોડા ભગાડશે વંદા

રસોડામાંથી વંદન ભગાડવા માટે બેકિંગ સોડા પણ સારો વિકલ્પ છે. તેના માટે બેકિંગ સોડામાં થોડી ખાંડ ઉમેરીને આ મિશ્રણને વંદા નીકળતા હોય તે જગ્યા પાસે છાંટી દો. આ મિશ્રણ લગાવ્યા પછી વંદા ક્યારે નીકળશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More