Home> LifeStyle
Advertisement
Prev
Next

ઉનાળામાં રાત્રે સુતા પહેલા રાખો સ્નાન કરવાની આદત, બોડી અને માઇન્ડને થસે જબરદસ્ત ફાયદો

Bathing at Night: ગરમીની સિઝનમાં ઘણા લોકો રાત્રે સ્નાન કરી સુવાનું પસંદ કરે છે, પરંતુ આ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ કરવાથી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકાર છે.

ઉનાળામાં રાત્રે સુતા પહેલા રાખો સ્નાન કરવાની આદત, બોડી અને માઇન્ડને થસે જબરદસ્ત ફાયદો

નવી દિલ્હી: દરરોજ સ્નાન કરવું માણસની જરૂરિયાત છે. તેનાથી ના માત્ર પર્સનલ સ્વચ્છતા સારી રહે છે પરંતુ દિમાગને પણ નવી તાજગી મળે છે. ગરમીની સિઝનમાં લોકો એકથી વધારે વખત સ્નાન કરવાનું પસંદ કરે છે કેમ કે, ભારે ગરમી અને ભેજના કારણે ખુબ જ પરસેવો થયા છે. આજે અમે તમને રાત્રે સ્નાન કરવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. દિવસભરની દોડાદોડી બાદ બોડી અને માઈન્ડ બંને થાકી જાય છે એવામાં રાત્રે સ્નાન કરવું ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. આ સમયે સ્નાનથી ના માત્ર થાક દૂર થયા છે, પરંતુ ઘણા લાભ પણ થઈ શકે છે.

રાત્રે સ્નાન કરવાના 5 ફાયદા
1. આવશે શાંતિપૂર્ણ ઉંઘ
લોકો રાત્રે સ્નાન કરવામાં આળસ કરે છે. રાતના સમયે સ્નાન કરવાથી આપણા શરીરની ઇમ્યુનિટી લેવલ વધે છે. તેનાથી મૂડ ફ્રેશ થાય છે. જેના કારણે રાત્રે ઉંઘ પણ સારી આવે છે અને શાંતિપૂર્ણ ઉંઘનો આંનદ પણ માણી શકો છો.

તારક મહેતા ફેમ બબીતાજીના લટકા-ઝટકા જોઈ લોકોની વધી હાર્ટબીટ, ન્યુ લુકથી ફેન્સને કર્યા ઇમ્પ્રેસ

2. બ્લડ પ્રેશર કંટ્રોલ
ક્યારે તમે વિચાર્યું છે કે રાત્રે સ્નાન કરવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે છે? પરંતુ આ સત્ય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની પ્રોબ્લમ રહે છે. તેમણે રાત્રે સ્નાન કરવું જોઇએ. તેનાથી તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

ફરી એકવાર સસ્તી હેચબેક કારનો દબદબો, જાણો દેશમાં સૌથી વધુ વેચાતી 10 ગાડીઓનું લિસ્ટ

3. સ્થૂળતા દૂર થશે
જ્યારે આપણે વધારે ઠંડા અથવા ગરમ પાણીથી સ્નાન કરીએ છે, તો કેરેલી બર્ન થવા લાગે છે. જેના કારણે આપણી સ્થૂળતા જૂર થયા છે. પરંતુ ધ્યાન રાખવાની વાત એ છે કે, પાણી ગરમ એટલું ન હોવું જોઇએ કે જે તમારી સ્કીનને નુકસાન પહોંચાડે. પાણીનું ટેમ્પ્રેચર એટલું જ રાખો જેટલું તમારું શરીર સહન કરી શકે. એવું સામે આવ્યું છે કે, રાત્રે સ્નાન કરવાથી વધારે કેલેરી બર્ન થયા છે.

Zomato અને Swiggy સામે તપાસના આદેશ, જાણો શું છે બમ્પર ડિસ્કાઉન્ટનો ખેલ!

4. બ્લડ સર્ક્યુલેશન વધશે
રાતે જો તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. તેના કારણે તમારા શરીરનો થાક દુર થયા છે, સાથે ઉંઘ સારી આવે છે. જો તમે રાત્રી ઉંઘ દરમિયાન થાક અનુભવો છો તો રાત્રે ગરમ પાણીથી સ્નાન તમારા માટે એક સારો ઉપાય સાબિત થઈ શકે છે.

IPL માં મળ્યો બુમરાહ કરતા પણ ખતરનાક બોલર, મોટામાં મોટા બેટિંગ ઓર્ડરના કાઢ્યા છોતરાં

5. સ્કિન પ્રોબ્લમ્સ થશે દૂર
જો તમને સ્કિનથી જોડાયેલી પ્રોબ્લમ્સ રહે છે તો તમારા માટે રાત્રે સ્નાન કરવું ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ કરવાથી પિમ્પલ્સની પરેશાની, શુષ્ક અને નિસ્તેજ ત્વચા, આ બધાથી છૂટકારો મળશે. તમારી સ્કિન નેચરલી ગ્લોઇંગ બનશે. રાત્રે સ્નાન બાદ તમારી સ્કિન પર સારું મોઇશ્ચ્યુરાઈઝર લગાવો અને પછી સુઈ જાઓ. આ ઉપરાંત પ્રયત્ન કરો કે જ્યારે પણ તમે બહારથી ઘરે પરત ફરો, તો ઠંડા પાણીથી મોઢું ધોવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સમાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More