Home> LifeStyle
Advertisement
Prev
Next

Anant Ambani Weight Loss: આ ફોર્મ્યુલાથી મુકેશ અંબાણીના પુત્રએ 18 મહિનામાં ઘટાડ્યું 108 કિલો વજન!

Anant Ambani Weight Loss: મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ફિટનેસ જર્નીમાંથી દરેકે પાઠ લેવા જેવો છે. અનંતે જે પ્રકારે મહેનત કરી છે તેની મહેનતને ખરેખર દાદ દેવા જેવી છે. જાણો શું છે તેની વીવીઆઈપી વેઈટ લોસ ફોર્મ્યુલા...

Anant Ambani Weight Loss: આ ફોર્મ્યુલાથી મુકેશ અંબાણીના પુત્રએ 18 મહિનામાં ઘટાડ્યું 108 કિલો વજન!

Anant Ambani Weight Loss: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ હાલમાં જ તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા છે. લગ્નના ફોટા અને સેલિબ્રિટીઓની હાજરીએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. પરંતુ આ પહેલા અનંત અંબાણી પણ પોતાની ફિટનેસ જર્ની અંગે ચર્ચામાં હતા. તેણે માત્ર 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યું હતું, જેના કારણે તે દેશભરમાં વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે પ્રેરણા બની હતી. ચાલો જાણીએ અનંત અંબાણીએ કયું ફોર્મ્યુલા વાપરીને 18 મહિનામાં 108 કિલો વજન ઘટાડ્યું.

અનંત અંબાણીની વજન ઘટાડવાની સફર-
અનંત અંબાણીની વજન ઘટાડવાની જર્ની ઘણી પ્રેરણાદાયી છે. એક સમયે તેમનું વજન 208 કિલો સુધી પહોંચી ગયું હતું, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમમાં હતું. પરંતુ તેણે હિંમત ન હારી અને પોતાને બદલવાનો નિર્ણય કર્યો. તેણે 18 મહિનાની મહેનત બાદ 108 કિલો વજન ઘટાડ્યું. આ દરમિયાન તેણે માત્ર ડાયટ અને વર્કઆઉટનો આશરો લીધો હતો.

ડાયેટ-
અનંત અંબાણીએ પોતાના ડાયટ પર ઘણું ધ્યાન આપ્યું હતું. એક ખાસ આહાર યોજના બનાવવામાં આવી હતી, જેમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, તેમણે ખોરાકની માત્રાને પણ નિયંત્રણમાં રાખી હતી. તેમના આહાર યોજનામાં મુખ્યત્વે ફાઈબર સમૃદ્ધ ખોરાક, ઓછી ચરબીવાળા ખોરાક અને ઓછા કાર્બોહાઈડ્રેટ્સનો સમાવેશ થતો હતો. તેના ટ્રેનરે જણાવ્યું હતું કે અનંત માટે એક ખાસ ડાયટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, જેમાં કેલરીની માત્રા 1200 થી 1500 વચ્ચે રાખવામાં આવી હતી.

વર્કઆઉટ-
ડાયટની સાથે અનંત અંબાણીએ વર્કઆઉટ પર પણ ઘણી મહેનત કરી હતી. તે દરરોજ 5-6 કલાક વર્કઆઉટ કરતો હતો. જેમાં યોગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ અને કાર્ડિયોનો સમાવેશ થાય છે. આ સિવાય તે દરરોજ 21 કિલોમીટર ચાલતો હતો.

કોન્ફિડન્સ વધ્યો-
18 મહિનાની મહેનત પછી અનંત અંબાણીએ જબરદસ્ત પરિવર્તન કર્યું. તેણે માત્ર વજન ઘટાડ્યું જ નહીં, પણ પોતાની જાતને માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત બનાવી. તેમની આ વાર્તા વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે પ્રેરણા બની શકે છે.

તો પછી વજન કેમ વધ્યું?
થોડા વર્ષો પહેલા TOIને આપેલા એક ઈન્ટરવ્યુમાં નીતા અંબાણીએ ખુલાસો કર્યો હતો કે અનંત અસ્થમાથી પીડિત છે. જેના કારણે એકવાર વજન ઘટવા છતાં તેનું વજન ફરી વધી ગયું છે. તમને જણાવી દઈએ કે 2016માં અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More