Home> LifeStyle
Advertisement
Prev
Next

Chanakya Niti: આવા પુરુષો તરફ જલદી આકર્ષિત થાય છે મહિલાઓ, તમારામાં આ ગુણ છે કે નહીં તે જુઓ

Chanakya Niti: આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષોમાં આ ગુણો હોય છે તેમનાથી મહિલાઓ જલદી પ્રભાવિત થાય છે. આવો જાણીએ કે પુરુષોની એવી તે કઈ આદતો હોય છે જેનાથી મહિલાઓ ખુબ પ્રભાવિત થાય છે. 

Chanakya Niti: આવા પુરુષો તરફ જલદી આકર્ષિત થાય છે મહિલાઓ, તમારામાં આ ગુણ છે કે નહીં તે જુઓ
Updated: Jun 28, 2023, 08:32 AM IST

Chanakya Niti: દરેક સ્ત્રી કે છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેમનો પાર્ટનર માત્ર સ્માર્ટ જ નહીં પરંતુ તેની અંદર બીજાઓને પ્રભાવિત કરવાની ક્ષમતાઓ પણ હોય. આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષોમાં આ ગુણો હોય છે તેમનાથી મહિલાઓ જલદી પ્રભાવિત થાય છે. આવો જાણીએ કે પુરુષોની એવી તે કઈ આદતો હોય છે જેનાથી મહિલાઓ ખુબ પ્રભાવિત થાય છે. 

માન સન્માન આપવું

આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ જે પુરુષો બીજાને માન સન્માન આપવાનું જાણે છે મહિલાઓ તેમના તરફ સહજ રીતે આકર્ષિત થાય છે. જે પુરુષ પ્રેમ સંબંધો કે પછી વૈવાહિક જીવનમાં જો કોઈનો આદર ન કરે અને બીજાને ઠેસ પહોંચાડે તેવા લોકોના સંબંધ મોટાભાગે તૂટતા હોય છે. જે મહિલાઓને મહત્વ આપે છે તેમના લગ્ન જીવ અને પ્રેમ સંબંધ ક્યારેય નિષ્ફળ જતા નથી. 

ભરોસાનું માન રાખવું
આચાર્ય ચાણક્ય કહે છે કે જે પુરુષ કોઈ સ્ત્રીના રહસ્યની વાત જાણ્યા બાદ પણ જો તેને ફક્ત તેના પુરતું સિમિત રાખે અને કોઈને કહે નહીં તેવા પુરુષો પર મહિલાઓ ઓતપ્રોત થઈ જાય છે. આ સાથે જ જો પુરુષો પ્રેમ સંબંધોમાં મહિલાઓ પર કોઈ રોકટોક ન લગાવે તેમને પોતાની રીતે જીવન જીવવાની આઝાદી આપે તો તેમના સંબંધ ક્યારેય ખરાબ થતા નથી. 

મહિલાઓને સુરક્ષિત મહેસૂસ કરાવવું
જ્યારે કોઈ પુરુષ કોઈ મહિલાને પોતાની હાજરીમાં સુરક્ષિત મહેસૂસ કરાવે ત્યારે મહિલાઓ તેવા પુરુષો પર ભરોસો કરવા લાગે છે. જે વ્યક્તિ પોતાની પ્રેમિકા, પત્નીને સુરક્ષાનો અહેસાસ કરાવે, તેમને સારો માહોલ આપે, ત્યાં ક્યારેય પ્રેમ ઓછો થતો નથી. 

છાતી ચીરી નાખશે આ શબ્દો, મોત નજીક હતું છતાં માતા તેના બાળકોને બચાવવા બૂમો પાડતી હતી

પત્ની સાથે અફેરની શંકામાં મિત્રનું ગળું ચીરી લોહી પીધુ, ઘટનાનો Video બનાવી શેર કર્યો

કપલનો સુહાગરાતનો બેડરૂમ Video થયો Viral, દુલ્હેરાજાનો રોમાન્સ જોઈને લોકોએ આંખો મીંચી

ઘમંડથી અંતર
જો તમે ફક્ત તમારામાં જ રહો, હંમેશા ઈગો રાખો, તો મહિલાઓ ક્યારેય તમારી બની શકશે નહીં. દરેક સંબંધ ઈગોથી ઉપર છે. પોતાની ભૂલ પર જે પુરુષ તેને સ્વીકારી લે તેમની આ આદત મહિલાઓને ખુબ ગમે છે. લાંબા સમય સુધી સંબંધોમાં મિઠાશ રાખવા માટે ઈગોથી અંતર જાળવવું જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે