Home> Jobs
Advertisement
Prev
Next

વિદેશમાં ભણવાનો વધી રહ્યો છે ક્રેઝ! ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કયો દેશ છે? ખાસ જાણો

વિદેશમાં ભણવાનો ક્રેઝ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. 2024માં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1.33 મિલિયન છે. લોકસભામાં રજૂ કરાયેલ MEA ડેટા દર્શાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

વિદેશમાં ભણવાનો વધી રહ્યો છે ક્રેઝ! ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ કયો દેશ છે? ખાસ જાણો

વિદેશમાં ભણવાનો ક્રેઝ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં સરકારી આંકડાઓ અનુસાર 41 દેશોમાં 633 છાત્રોના મોત થયા છે. આમ છતાં છાત્રોની સંખ્યા વધી રહી છે. કેનેડામાં સૌથી વધુ 172 મૃત્યુ થયા છે. હિંસક હુમલામાં 19 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુના કારણોમાં કુદરતી કારણો, અકસ્માતો અને તબીબી કટોકટીનો પણ સમાવેશ થાય છે. લોકસભાના ચોમાસુ સત્રમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે કેરળના સાંસદ કોડીકુન્નિલ સુરેશના એક પ્રશ્ન પર આ માહિતી આપી હતી. આ ઉપરાંત એ માહિતી પણ જાણો કે કયા દેશમાં જવાનું ભારતીય વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે. 

સૌથી વધુ કેનેડામાં મોત
વિદેશ મંત્રીએ એક લેખિત જવાબમાં કહ્યું કે કેનેડામાં સૌથી વધુ 172 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જે બાદ અમેરિકામાં 108 વિદ્યાર્થીઓના મોત થયા હતા. બ્રિટનમાં 58, ઓસ્ટ્રેલિયામાં 57, રશિયામાં 37 અને જર્મનીમાં 24 વિદ્યાર્થીઓના મોત થયા છે. પાડોશી દેશ પાકિસ્તાનના એક વિદ્યાર્થીના મોતના સમાચાર પણ છે.

હિંસક હુમલામાં 19 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિદેશમાં હિંસક હુમલામાં 19 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. આંકડા અનુસાર, કેનેડામાં સૌથી વધુ 9 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ પછી અમેરિકામાં 6 અને ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન અને કિર્ગિસ્તાનમાં એક-એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જ્યારે વિદેશમાં ભારતીય મિશન/પોસ્ટ પર અપ્રિય ઘટનાઓના કિસ્સાઓ પ્રાપ્ત થાય છે, ત્યારે તે તુરંત જ તે દેશના સંબંધિત અધિકારીઓ સામે આ મામલો ઉઠાવાય છે. આ કેસની યોગ્ય તપાસ થાય અને ગુનેગારોને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલયના અધિકારીઓ કામગીરી કરે છે. કટોકટી અથવા તકલીફના કિસ્સામાં, ભારતીય મિશન/પોસ્ટ વિદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને ભોજન, રહેઠાણ, દવાઓ આપીને મદદ કરે છે અને શક્ય તેટલી વહેલી તકે તેમના ભારત પરત આવવા અથવા તેમના સ્થળાંતર માટે પ્રયત્નો કરે છે.

વિશ્વભરના દેશોમાંથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વંદે ભારત મિશન, ઓપરેશન ગંગા (યુક્રેન) અને ઓપરેશન અજય (ઇઝરાયેલ) દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. અમારા હાઈ કમિશન દ્વારા બાંગ્લાદેશથી ઘણા ભારતીય વિદ્યાર્થીઓની પરત ફરવાની પણ સુવિધા આપવામાં આવી હતી. MEAએ વધુમાં જણાવ્યું હતું કે વિદેશમાં ભારતીય મિશન/પોસ્ટ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પ્રવાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. MADAD પોર્ટલ સાથે પણ કનેક્ટ કરવાનો પ્રયાસ કરાય છે. જેથી તેમના સુધી સંભવિત તમામ મદદને પહોંચાડી શકાય..

2024માં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1.33 મિલિયન છે. લોકસભામાં રજૂ કરાયેલ MEA ડેટા દર્શાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 2022માં આ સંખ્યા 0.75 મિલિયન હતી જે 2023માં વધીને 0.93 મિલિયન થઈ અને હવે 1.33 મિલિયન થઈ ગઈ છે. આ વર્ષે 1 જાન્યુઆરી સુધીમાં, MEA દ્વારા 101 દેશોમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા 13.35 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિશે ડેટા રજૂ કરવામાં આવ્યો હતો. તેમાંથી સૌથી વધુ 4.27 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં, ત્યારબાદ 3.37 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અને 1.85 લાખ વિદ્યાર્થીઓ બ્રિટનમાં અભ્યાસ કરે છે. MEA ના ડેટા સાબિત કરે છે કે હજુ પણ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં 2510 ભારતીય વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More