Home> Jobs
Advertisement
Prev
Next

National Anthem: શું તમે જાણો છો ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' કઈ તારીખે પહેલીવાર ગવાયું હતું?

National Anthem: ભારતનું રાષ્ટ્રગીત જન ગન મન 27 ડિસેમ્બર 1911 ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પહેલીવાર ગાવામાં આવ્યું હતું. જન ગન મન નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલા બંગાળી હેમ ભરોતો ભાગ્ય બિધાતા નું પહેલું છંદ છે. 

National Anthem: શું તમે જાણો છો ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' કઈ તારીખે પહેલીવાર ગવાયું હતું?

National Anthem: ભારતનું રાષ્ટ્રગીત જન ગન મન 27 ડિસેમ્બર 1911 ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં પહેલીવાર ગાવામાં આવ્યું હતું. જન ગન મન નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલા બંગાળી હેમ ભરોતો ભાગ્ય બિધાતા નું પહેલું છંદ છે. આ ગીતનું થોડું અલગ વર્ઝન 1941 માં સુભાષચંદ્ર બોઝની ભારતીય રાષ્ટ્રસેના દ્વારા ગાવામાં આવ્યું અને ત્યારથી તે ભારતભરમાં પ્રખ્યાત થયું. 

આ પણ વાંચો: Weight Loss: શિયાળામાં પણ ઝડપથી ઓગાળવી હોય ચરબી તો ડેલી રુટીનમાં ખાવા આ 6 ફળ

15 ઓગસ્ટ 1947 ના રોજ જ્યારે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લાની પ્રાચીર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તે સમયે આઈએનએના કેપ્ટન ઠાકુરી જેને શુભ સુખ ચેન વર્ઝનને સંગીત આપ્યું હતું તેણે પોતાના ઓરકેસ્ટ્રા ગ્રુપના સભ્યો સાથે લાલ કિલ્લા પરથી જન ગણ મન પ્લે કર્યું હતું.

આ પણ વાંચો: ખરતા વાળની સમસ્યાનું કાયમી સમાધાન છે આ ઘરગથ્થુ ઉપાય, 15 દિવસમાં વાળ ખરતા થશે બંધ

જન ગન મન ને ભારતની સંવિધાન સભા દ્વારા પોતાના લાસ્ટ સેશનના છેલ્લા દિવસે એટલે કે 24 જાન્યુઆરી 1950 ના રોજ દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત પ્રત્યે સન્માન રાખવું ભારતમાં એક મૌલિક કર્તવ્ય છે. બંધારણના અનુચ્છેદ 51એ અનુસાર, ભારતના પ્રત્યેક નાગરિકનું એ કર્તવ્ય છે કે તે સંવિધાનનું પાલન કરે અને તેના આદર્શો, સંસ્થાનો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરે. 

આ પણ વાંચો: iPhone Battery Tricks: આ સેટિંગ કરી લેશો તો આઈફોન ચાર્જ કર્યા વિના ચાલશે આખો દિવસ

રવીન્દ્રનાથ ટાગોરની રચના બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત પણ બની છે. અમાર સોનાર બાંગલા બાંગ્લાદેશી ગીત છે. 1905 માં અંગ્રેજ દ્વારા બંગાળનું વિભાજન કરવાના વિરોધમાં તેને લખવામાં આવ્યું હતું. આ સિવાય આનંદ સમરકૂન દ્વારા લેખિત શ્રીલંકાનું શ્રીલંકા મઠ પણ ટાગોરની રચનાથી પ્રભાવિત હતું. કેટલાક લોકોનું માનવું છે કે ટાગોરે જ તેને લખ્યું હતું. તેમના અનુસાર ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રગીતના કવિ રવીન્દ્રનાથ ટાગોર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More