Home> Jobs
Advertisement
Prev
Next

મેનજમેન્ટનો બાપ! 21 વર્ષનો છે પણ IAS, IPS અને જજોને શીખવે છે મેનેજમેન્ટ, નાની ઉંમરમાં એક ગામ લીધું દત્તક

Success Story: તમે IAS-IPS ની ઘણી સફળતાની સ્ટોરીઓ તમે સાંભળી હશે. આજે અમે તમને એક એવા વ્યક્તિની સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ જેમણે ખૂબ જ નાની ઉંમરમાં મોટા ગોલ હાંસલ કર્યા છે. ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના બીરપુર ગામમાં જન્મેલા આ વ્યક્તિનું નામ છે નવીન કૃષ્ણ રાય છે. નવીન હાલમાં IIM ઇન્દોરમાં મેનેજર, ગવર્નમેન્ટ અફેર્સ તરીકે કામ કરે છે અને IAS-IPS સ્તરના અધિકારીઓ અને ન્યાયાધીશોને તાલીમ આપે છે. જોકે, અહીં સુધી પહોંચવાની તેની સફર આસાન રહી નથી. ચાલો જાણીએ તેમની સ્ટોરી

મેનજમેન્ટનો બાપ! 21 વર્ષનો છે પણ IAS, IPS અને જજોને શીખવે છે મેનેજમેન્ટ, નાની ઉંમરમાં એક ગામ લીધું દત્તક

Success Story: માત્ર 30 વર્ષની ઉંમરે, નવીને લોકશાહીના ચારેય સ્તંભો - કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર અને મીડિયા સાથે કામ કરવાનો અનુભવ મેળવ્યો છે. તેમણે માત્ર 21 વર્ષની ઉંમરે એક ગામ દત્તક લીધું હતું. એક સામાજિક કાર્યકર તરીકે, તેઓ ત્યાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ઘણા મહિનાઓ સુધી નક્સલ પ્રભાવિત ગામમાં રહ્યા હતા. પરંતુ તેમના જીવનની સફર ગાઝીપુર જિલ્લાના ગામ બીરપુરથી શરૂ થાય છે.

નવીનના પિતા આર્મીમાં હવલદાર હતા. જેમનું અવસાન નવીનના જન્મના ત્રણ મહિના પહેલા જ થયું હતું. આવી સ્થિતિમાં નવીનનો ઉછેર તેમની માતાએ કર્યો હતો. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. પરંતુ જવાહર નવોદય વિદ્યાલય, પ્રયાગરાજમાં પ્રવેશ મળવાને કારણે તેઓ ધોરણ 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શક્યા. આ પછી તેમણે મદન મોહન માલવિયા યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી, ગોરખપુરમાંથી B.Tech કર્યું.

આ પણ વાંચો: IIT કે IIMમાં ભણ્યા વિના મળી  85 લાખ રૂપિયાની રેકોર્ડબ્રેક જોબ ઓફર

બી.ટેકના અભ્યાસ દરમિયાન જ તેમને સામાજિક કાર્યમાં રસ પડવા લાગ્યો. વર્ષ 2015 માં ગોરખપુરના તત્કાલિન ડીએમ, IAS રંજન કુમારના માર્ગદર્શન હેઠળ તેમણે ગોરખપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના યુવાનો માટે ગ્રામીણ યુવા નેતૃત્વ કાર્યક્રમ ચલાવ્યો. જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવાનો હતો. આ સમય દરમિયાન નવીને ગોરખપુરના તત્કાલિન કમિશનર પી ગુરુપ્રસાદ સાથે મળીને ખોરાબાર બ્લોકના મોતીરામ અડ્ડા ગામને દત્તક લીધું હતું. તેમણે આ ગામના લોકોને સરકારી યોજનાઓ વિશે જાગૃત કર્યા.

આ પણ વાંચો: Diploma Course: 10th બાદ આ શોર્ટ ટર્મ કોર્સ કરીને વર્ષે કરો 5 થી 6 લાખ રૂપિયા

નવીન પાસે મેનેજમેન્ટ વિષયની કોઈ ડિગ્રી નથી. પરંતુ આ વિષય પર તેમની પકડ એટલી અદભૂત છે કે તેમને વિવિધ રાજ્યોના અર્ધલશ્કરી દળો, પોલીસ, વહીવટી અને ન્યાયિક સેવાઓની તાલીમ અકાદમીઓમાં અધિકારીઓ અને ન્યાયાધીશોને મેનેજમેન્ટ વિષય પર તાલીમ આપવા માટે જાય છે. અત્યાર સુધીમાં નવીને IRS, રાજ્ય પોલીસ સેવા, વહીવટી સેવા અને કેન્દ્રીય અનામત દળના હજારો અધિકારીઓ અને ન્યાયાધીશોને મેનેજમેન્ટની તાલીમ આપી છે. આ ઉપરાંત, તેઓ ઘણા રાજ્યોની વિવિધ સરકારી સમિતિઓના નામાંકિત સભ્ય પણ છે જ્યાં તેઓ મેનેજમેન્ટ ક્ષેત્રને લગતી સલાહ આપે છે.

આ પણ વાંચો: સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ

નવીને ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની સમયસર હાજરી સુનિશ્ચિત કરવા માટે "સેલ્ફી સાથે હાજરી" કાર્યક્રમ પણ શરૂ કર્યો છે. ચંદૌલી જિલ્લાના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર પ્રશાંતના સહયોગથી વર્ષ 2107માં શરૂ થયેલી આ પહેલને જિલ્લાની 1500 સરકારી શાળાઓમાં લાગુ કરવામાં આવી હતી. આ પહેલની સફળતા જોઈને ઉત્તર પ્રદેશ સરકારે તેને રાજ્યની તમામ સરકારી શાળાઓમાં લાગુ કરી. નવીનના સામાજિક કાર્ય પ્રત્યેના સંકલ્પ અને હિંમતને જોતા, તેને નૌગઢ તહસીલના વિકાસ માટેના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More