Home> India
Advertisement
Prev
Next

જ્ઞાનવાપીને મસ્જિદ કહેવી એ યોગ્ય નથી, ત્રિશુળ તેની અંદર શું કરી રહ્યું છે? CM યોગી આદિત્યનાથનો વેધક સવાલ

Yogi Adityanath Statement: યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્ઞાનવાપીને મસ્જિદ કહેવી ઠીક નથી. ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે સવા 6 વર્ષથી તેઓ સરકારમાં છે. કહેનારા ગમે તે કહે પરંતુ કોઈ તોફાન થયું નથી. પંચાયત ચૂંટણી, સ્થાનિક ચૂંટણી, વિધાનસભા ચૂંટણી કેવી રીતે થાય છે તે જુઓ.

જ્ઞાનવાપીને મસ્જિદ કહેવી એ યોગ્ય નથી, ત્રિશુળ તેની અંદર શું કરી રહ્યું છે? CM યોગી આદિત્યનાથનો વેધક સવાલ

Yogi Adityanath Statement: યુપીના સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મામલે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જ્ઞાનવાપીને મસ્જિદ કહેવી ઠીક નથી. ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે સવા 6 વર્ષથી તેઓ સરકારમાં છે. કહેનારા ગમે તે કહે પરંતુ કોઈ તોફાન થયું નથી. પંચાયત ચૂંટણી, સ્થાનિક ચૂંટણી, વિધાનસભા ચૂંટણી કેવી રીતે થાય છે તે જુઓ. પશ્ચિમ બંગાળમાં પણ પંચાયત ચૂંટણી થઈ હતી અને ત્યાં કેવા હાલ થયા. સમગ્ર દશને તેઓ પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. જે રીતે ટીએમસીની સરકારે હાલ પશ્ચિમ બંગાળમાં કર્યું હતું. જાણો સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી પર વધુમાં શું કહ્યું. 

જ્ઞાનવાપી પર શું બોલ્યા સીએમ યોગી
જ્ઞાનવાપીના સવાલ પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. મને લાગ છે કે ભગવાને જેને દ્રષ્ટિ આપી છે તેઓ જુએ કે ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? અમે તો નથી રાખ્યું ને. જ્યોતિર્લિંગ છે, પ્રતિમાઓ છે, સમગ્ર દિવાલ બૂમો પાડી પાડીને કહી રહી છે અને મને લાગે છે કે આ પ્રસ્તાવ  મુસ્લિમ સમાજ તરફથી આવવો જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે અને તે ભૂલ માટે અમે  ઈચ્છીએ છીએ કે સમાધાન થાય. 

વિપક્ષી ગઠબંધન પર યોગીનું નિશાન
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વિરોધી દળોના નેતાઓને કેવી રીતે મારવામાં આવ્યા તે ચીજો આંખો ઉઘાડનારી છે પરંતુ તેના પર કોઈ બોલતું નથી. 1990માં કાશ્મીરમાં જે કઈ થતું તેના પર બધા મૌન હતા. આખરે આવો બેવડો  દ્રષ્ટિકોણ કેમ? વિપક્ષના ગઠબધન ઈન્ડિયા પર સીએમ યોગીએ કહ્યું કે તેને ઈન્ડિયા બોલવું જોઈએ નહીં. આ જે ડોટ ડોટ ડોટ ગ્રુપ છે, આંચળો બદલી નાખવાથી મુક્તિ નહીં મળે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More